રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડવા ઈચ્છે છે તો વહેલી તકે શોધો વિકલ્પઃ કોંગ્રેસ નેતા
એએનઆઈ સાથે વાત કરવા દરમિયાન ગોગોઈએ કહ્યુ કે પાર્ટીના અધ્યક્ષ માટે વિલંબ કર્યા વિના નવા વિકલ્પની શોધ કરવી જોઈએ.
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી કારમી હાર બાદથી પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડવાની જિદ પર અડેલા છે. પાર્ટી નેતાઓના મનાવવા પર પણ રાહુલ ગાંધી માનવા માટે તૈયાર નથી. રાહુલ ગાંધી કોઈની પણ સાંભળવા તૈયાર નથી.
પાર્ટીના વરિષ્ઠ નેતા અને અસમના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈએ રાહુલ ગાંધી વિશે કહ્યુ કે પાર્ટીના નેતા એ જ ઈચ્છે છે કે રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ પદે રહે પરંતુ જો તે પાર્ટીના અધ્યક્ષ પદની જવાબદારી હવે ન સંભાળવા ઈચ્છતા હોય અને પોતાની જિદ પર અડ્યા છે તો તેમણે વહેલી તકે નવો વિકલ્પ ચૂંટવો જોઈએ. એએનઆઈ સાથે વાત કરવા દરમિયાન ગોગોઈએ કહ્યુ કે પાર્ટીના અધ્યક્ષ માટે વિલંબ કર્યા વિના નવા વિકલ્પની શોધ કરવી જોઈએ.
Former Assam CM & Congress leader Tarun Gogoi: He (Rahul Gandhi) has made it clear party President should not be from the family (Gandhi), otherwise we don't mind if Sonia ji is made President again but she is also not very keen. https://t.co/IZfsDt5BSf
— ANI (@ANI) 26 June 2019
તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યુ છે કે પાર્ટીના નવા અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી નહિ હોય, નહિતર અમે ઈચ્છીએ છે કે સોનિયા ગાંધી એક વાર ફરીથી પાર્ટીના અધ્યક્ષ પદની કમાન સંભાળે. તેમણે કહ્યુ કે સોનિયા ગાંધી સ્વસ્થ નથી પરંતુ પાર્ટીના નેતાઓની ઈચ્છા છે કે તે એક વાર ફરીથી અધ્યક્ષ પદની કમાન સંભાળે.
આ પણ વાંચોઃ રામ રહીમની પેરોલ અરજી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ, 'ખેતી નહિ કરે તો...'