મોદી પર અમારો વિચાર સાચો સાબિત થયો : નીતિશ કુમાર

નીતિશે જણાવ્યું છે કે બે ત્રણ દિવસમાં જે વાતો સામે આવી છે તે અમારી પાર્ટી દ્વારા લેવામાં આવેલા નિર્ણયને યોગ્ય સાબિત કરે છે. જે પ્રકારની ભાષાનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે તેની પાછળ જે અવધારણા છે તેનાથી અમારો વિચાર સ્પષ્ટ થાય છે. અમારા પગલાને સ્પષ્ટ કરે છે. પહેલા તેઓ અમારા પર ગુસ્સે થઇ રહ્યા હતા હવે અમે સાચા સાબિત થયા છીએ.
બોધગયા મંદિર વિસ્ફોટની તપાસ પર નીતિશે જણાવ્યું કે બોધગયામાં સીઆઇએસએફનો બંદોબંસ્ત હોવો જોઇએ. તેનો ખર્ચ રાજ્ય સરકાર વહન કરશે. એનઆઇએની તપાસ ચાલી રહી છે. તેમનો તપાસ રીપોર્ટ આવી જવા દો. એનઆઇએ આ મામલાને ચોક્કસ ઉકેલી નાખશે. જ્યાં સુધી સીઆઇએસએફ નહીં આવે ત્યાં સુધી બિહાર પોલીસનો અત્રે બંદોબસ્ત રહેશે.












Click it and Unblock the Notifications
