For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1900 નહી, 3000 ગામો સુધી વીજળી પહોંચાડીશુંઃ મોદી

By Kalpesh L Kandoriya
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુ્ક્રવારે કરેલી જાહેરાત મુજબ આગામી 100 દિવસમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશના 3000 જેટલા ગામો સુધી વીજળી પહોંચાડવામાં આવશે. હિન્દુસ્તાન ટાઇમ્સ લિડરશીપ સમિટ 2015ના ઉદ્ઘાટન સમારોહમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, "1900 ગામોને વીજળી પહોંચાડવાના ટાર્ગેટના બદલે આગામી 100 દિવસોમાં અમે 3000થી પણ વધારે ગામોને ઝગમગતું કરી દેશું."

modi

ઉલ્લેખનીય છે કે દેશને આઝાદી મળ્યાના 70 વર્ષ બાદ પણ દેશના 18000થી પણ વધારે એવાં ગામો છે, જ્યાં હજુ સુધી વીજળી કે રસ્તાઓ જેવી સુવિધાઓ નથી પહોંચી. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, કોર ઇન્ડસ્ટ્રી પ્રોજેક્ટ્સના કોલસો અને વીજળી સહિતના સ્થગિત થયેલાં કાર્યો શરૂ કરી દેવામાં આવ્યાં છે, અને જેના કારણે ભારત વાર્ષિક 8.5 ટકા પાવર જનરેશન ક્ષમતા ધરાવતો દેશ બન્યો છે.

અહ્યાં જણાવવું જોઇએં કે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ખોબા સહિતના અનેક ગામો એવાં છે જ્યાં વીજળીના નામે તણખલું પણ નથી. તેવામાં આવા વિસ્તારોને પણ ભવિષ્યમાં 24 કલાક વીજળીની સહાયતા મળી રહે તેવી શક્યતા જણાઇ રહી છે.

English summary
modi said at inaugural function of Hindustan Times Leadership Summit 2015 about provide electricity to 3000 villages in next 100 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X