For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણા મુદ્દે ટૂંક સમયમાં લેવાશે નિર્ણય : દિગ્વિજય

|
Google Oneindia Gujarati News

digvijay singh
હૈદરાબાદ, 2 જુલાઇ : કોંગ્રેસે સંકેત આપ્યા છે કે સંવેદનશીલ અને લાંબા સમયથી પેન્ડિંગ તેલંગાણા મુદ્દા પર કેન્દ્રનો નિર્ણય ટૂંક સમયમાં લેવાઇ શકે છે. ગયા મહીને જ આંધ્ર પ્રદેશની પાર્ટી મામલાના પ્રભારી નિમાયેલા કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે પત્રકારોને કહ્યું કે આ મુદ્દા પર નિર્ણય લેવાની પ્રક્રિયા અંતિમ સ્તર પર છે.

તેમને એવું પૂછાયું કે લાંબા સમયથી લંબિત આ મુદ્દા પર નિર્ણય કેટલી જલ્દી જાહેર થઇ શકે છે, તેમણે જણાવ્યું કે કેટલીવાર સમયસીમા આપવામાં આવી. હું સમય મર્યાદા આપવા માગીશ નહીં પરંતુ આપને એ બતાવી શકું છું કે આ પ્રક્રિયા અંતિમ ચરણમાં છે.

તેમણે જણાવ્યું કે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. કિરણ કુમાર રેડ્ડી, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બી સત્યનારાયણ અને ઉપ મુખ્યમંત્રી દામોદર રાજનરસિમ્હાથી 'બંને વિકલ્પ ખુલા' રાખતા એક રૂપરેખા આપવાનું જણાવ્યું છે, જેનાથી દાયકા જૂના અલગ રાજ્ય મુદ્દા અંગેના નિર્ણયમાં મદદ મળી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે આજે અત્રે હૈદરાબાદ કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. બેઠકબાદ તેમણે પત્રકારોને હૈદરાબાદના જ્વલંત પ્રશ્ન અલગ રાજ્યની માંગ અંગે પૂછાતા તેમણે છટકબારીભર્યા જવાબ આપ્યા હતા.

English summary
we will take decision on Telngana soon said Digvijay singh in Hyderabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X