West Bengal: કોલકાતામાં કેટલીય જગ્યાએ CBIના દરોડા, તૃણમૂલ યૂથ કોંગ્રેસ નેતા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ
West Bengal: કોલકાતામાં કેટલીય જગ્યાએ CBIના દરોડા, તૃણમૂલ યૂથ કોંગ્રેસ નેતા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ
Cattle Smuggling Case: કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં કેટલીય જગ્યાએ દરોડા પાડ્યા છે. આ દરોડ પશુ તસ્કરી મામલે પડ્યા. જેમાં તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ વિનય મિશ્રાનું નામ પણ શામેલ છે. મિશ્રા ઘણા સમયથી ફરાર છે, જે કારણે સીબીઆઈએ તેમની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી છે.
જાણકારી મુજબ પશુ તસ્કરી મામલાના તાર કોલકાતાના કેટલાય વેપારીઓ અને નેતાઓ સાથે જોડાયેલા છે. આ મામલે સબૂત એકઠાં કરવા માટે સીબીઆઈની ટીમે ગુરુવારે સવારે કેટલીય જગ્યાએ દરોડા પાડ્યા છે. જ્યારે સીબીઆઈની એક ટીમ તૃણમૂલ યૂથ કોંગ્રેસના મહાસચિવ વિનય મિશ્રાના પરિસરમાં પણ પહોંચ્યા અને દસ્તાવેજો ચકાસ્યાં. કેટલીયવાર નોટિસ બાદ પણ વિનય મિશ્રા સીબીઆઈ સામે હાજર ના થયા, જે કારણે તેમની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો
BSF અધિકારીઓની ધરપકડ થઈ ચૂકી છે
બાંગ્લાદેશ અને ભારત સીમા પર મોટા પાયે પશુઓની તસ્કરી થાય છે, પરંતુ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે 21 સપ્ટેમ્બરે સીબીઆઈની કોલકાતા શાખાએ આ મામલે કેસ નોંધ્યો. આ કેસમાં સીબીઆઈએ ઘણા સમય સુધી આ મામલે પૂછપરછ કરી, પરંતુ સંતોષજનક જવાબ ના મળવાના કારણે તેની ધરપકડ કરી લેવામાં આી. સતીશ કુમાર વર્તમાનમાં છત્તીસગઢમાં તહેનાત છે અને તેની વિરુદ્ધ આઈપીસીની કલમ 120 બી અને કલમ 7, 11 અને 12 ભ્રષ્ટાચાર નિરોધક અધિનિયમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. દરોડા બાદ જ તેને કોલકાતા સ્થિત ઘરને સીલ કરી દેવામાં આવ્યું હતું.
કોરોનાનો નવો સ્ટ્રેન ભારતમાં કેટલો ખતરનાક છે? AIIMS ડાયરેક્ટરે આપ્યો જવાબ