કાશ્મીરમાં આતંકીઓએ બંગાળના 5 મજૂરોને મોતને ઘાટ ઉતાર્યા, CM મમતા બેનર્જીએ વ્યક્ત કર્યુ દુઃખ
જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ આતંકી ઘટનાઓમાં એક વાર ફરીથી વધારો થયો છે. એક બાદ એક આતંકી ઘટનાઓ સામે આવી રહી છે.
જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ આતંકી ઘટનાઓમાં એક વાર ફરીથી વધારો થયો છે. એક બાદ એક આતંકી ઘટનાઓ સામે આવી રહી છે. આતંકીઓના નિશાના પર બિન કાશ્મીરી મજૂર, ટ્રક, ડ્રાઈવર અને વેપારીઓ છે. સતત આવી ઘટનાઓ સામે આવી રહી છે જ્યાં આતંકવાદીઓએ બીજા રાજ્યોથી આવેલા લોકો, વેપારીઓને નિશાન બનાવ્યા છે. મંગળવારે આતંકીઓએ કાશ્મીરના કુલગામમાં મોટ આતંકી હુમલાને અંજામ આપ્યો. આતંકીઓએ 5 બિન કાશ્મીરી મજૂરીને મોતને ઘાટ ઉતારી દીધા. આતંકવાદીઓએ પાંચ બિન કાશ્મીરીઓની હત્યા કરી દીધી. જ્યારે 1 મજૂર ખરાબ રીતે ઘાયલ થઈ ગયો. આ બધા મજૂર પશ્ચિમ બંગાળના રહેવાસી હતી.
આતંકીઓના હુમલામાં માર્યા ગયેલા બધા મજૂર પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના હતા. આ હુમલા બાદ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુર્શિદાબાદના મજૂરોના મોત પર દુખ વ્યક્ત કર્યુ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરીને કહ્યુ, કાશ્મીરમાં નૃશંસ હત્યાઓ પર ઉંડુ દુખ છે. તેમણે લખ્યુ કે દુખની આ ઘડીમાં પીડિત પરિવારની દરેક સંભવ મદદ કરવામાં આવશે. આ આતંકી હુમલા બાદ વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. ઘટનાની જાણકારી મળતા જ વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. વધુ સુરક્ષા બળોને પણ સ્થળ પર બોલાવીને સઘન સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.
We are shocked and deeply saddened at the brutal killings in Kashmir. Five workers from Murshidabad lost their lives. Words will not take away the grief of the families of the deceased. All help will be extended to the families in this tragic situation
— Mamata Banerjee (@MamataOfficial) 29 October 2019
આ પણ વાંચોઃ રિયાદમાં બોલ્યા પીએમ મોદી- ભારતમાં રોકાણની અપાર સંભાવના, કોઈને નુકસાન નહિ થાય