Shankaracharya On Narendra Modi : હિન્દુત્વ મુદ્દે શંકરાચાર્યએ મોદીની ઝાટકણી કાઢી
Shankaracharya On Narendra Modi : નરેન્દ્ર મોદીના હિન્દુત્વને લઈને વારંવાર નિવેદનો આપનારા ઉત્તરાખંડના જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ હવે ફરીથી નરેન્દ્ર મોદીને હિન્દુત્વ મુદ્દે આકરા વેણ કહ્યાં છે.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક મોટી વાત કહેતા કહ્યું કે, અંગ્રેજી તારીખે જન્મદિવસ ઉજવનાર કોઈપણ વ્યક્તિને અમે હિંદુ માનતા નથી, કારણ કે હિંદુ દેવી-દેવતાઓની જન્મતારીખ અંગ્રેજી તારીખથી નથી બની.

એક ઇન્ટરવ્યુમાં અવિમુક્તેશ્વરાનંદના શંકરાચાર્યએ કહ્યું કે, જે કોઈ બ્રિટિશ તારીખે પોતાનો જન્મદિવસ ઉજવશે, કાં તો તેની માતા અંગ્રેજ હશે અથવા તેના પિતા અંગ્રેજ હશે. તેથી જ અમે અંગ્રેજી તારીખ સાથે ઉજવણી કરનારા લોકોને ન તો શુભેચ્છા પાઠવીએ છીએ અને ન તો કોઈ ચર્ચા કરીએ છીએ.
ગૌહત્યા પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, અમારે ભારતના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માત્ર એક જ પ્રશ્ન પૂછવો છે કે તમે હિન્દુ છો, તમારી પાસે સત્તા છે અને તમે સિંહાસન પર બેઠા છો. તમે હિંદુઓના વોટ લઈ લીધા છે. તમે ગાયના વાછરડાને સંભારતા જોવા મળો છો. આમ છતાં શું કારણ છે કે પીએમ ગૌહત્યા બંધ નથી કરી રહ્યા? શું દબાણ છે તેને જાહેર કરો અથવા હિંદુ-હિંદુનું નાટક છોડો.
સ્વામી મુક્તેશ્વરાનંદે કહ્યું કે, ભાજપ છેલ્લા 16 વર્ષથી દેશમાં સત્તામાં છે, જેમાં પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીનો કાર્યકાળ સામેલ છે. આ સ્થિતિમાં શું કારણ છે કે તમે ગૌહત્યા કેસમાં વિલંબ કરી રહ્યા છો? હું પીએમ મોદીને પૂછવા માંગુ છું અને વડાપ્રધાને હિન્દુ જનતાની સામે આનો જવાબ આપવો જોઈએ.
ઈન્ટરવ્યુ દરમિયાન રાહુલ ગાંધીની જાતિ ગણતરીની માંગ પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે, દેશમાં જાતિ ગણતરી થવી કે ન થવી એ બંને નકામી બાબત છે, પરંતુ જાતિની વસ્તી ગણતરી થવી જોઈએ, પરંતુ તેનું રાજનીતિકરણ ન કરવું જોઈએ.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
