શું છે ભારતીય સેના માટેની અગ્નિપથ યોજના? યુવાનોને શું ફાયદો થશે?
કેન્દ્ર સરકાર હવે સૈનિકોની ભરતીની રીત બદલવા જઈ રહી છે. મોદી સરકાર સેનામાં ભરતી માટે 'અગ્નિપથ પ્રવેશ યોજના' લાવવા જઈ રહી છે. આ દ્વારા સેવામાં આવનાર સૈનિકોને 'અગ્નીવીર' કહેવામાં આવશે.
કેન્દ્ર સરકાર હવે સૈનિકોની ભરતીની રીત બદલવા જઈ રહી છે. મોદી સરકાર સેનામાં ભરતી માટે 'અગ્નિપથ પ્રવેશ યોજના' લાવવા જઈ રહી છે. આ દ્વારા સેવામાં આવનાર સૈનિકોને 'અગ્નવીર' કહેવામાં આવશે. યોજનાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેના દ્વારા યુવાનોને શરૂઆતમાં ત્રણ વર્ષ માટે સેનામાં સૈનિક તરીકે ભરતી કરવામાં આવશે. આ ભારતીય સેનાના વર્તમાન વય જૂથમાં પણ મોટો ફેરફાર લાવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય સેનાના 'ટૂર ઑફ ડ્યુટી' પ્રસ્તાવનું નવું નામ અગ્નિપથ છે.

કોરોનાને કારણે ભરતી પ્રભાવિત થઈ
કોરોના મહામારી દરમિયાન સશસ્ત્ર દળોમાં સૈનિકોની ભરતી પર પ્રતિકૂળ અસર પડી હતી. ત્રણેય સેવાઓમાં 1.25 લાખથી વધુ જગ્યાઓ ખાલી છે. આ અગ્નિપથ યોજનાને અંતિમ સ્વરૂપ આપવા માટે સંબંધિત વિભાગો સાથે થોડી વધુ બેઠકોની જરૂર પડશે.

શિસ્તબદ્ધ સૈનિકોને ફાયદો થશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેનાના સંબંધિત વિભાગો સાથે કેટલીક વધુ બેઠકો બાદ આ યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. પ્રારંભિક યોજના અનુસાર, આ અગ્નિવીરોને તેમની ત્રણ વર્ષની સંરક્ષણ સેવાની મુદત પૂરી થયા બાદ ખાનગી ક્ષેત્રમાં સિવિલ નોકરીઓ આપવામાં આવશે. કેટલીક કંપનીઓએ આ અગ્નિવીરોને સેવામાં રાખવાની તૈયારી દર્શાવી છે. આ કંપનીઓને સૈન્ય પ્રશિક્ષિત અને શિસ્તબદ્ધ સૈનિકોનો લાભ મળશે.

નિષ્ણાતોની ભરતી કરવાનો વિકલ્પ
તમને જણાવી દઈએ કે આ મુદ્દો બે વર્ષ પહેલા શરૂ થયો હતો જ્યારે દળોએ 'ટૂર ઑફ ડ્યુટી પ્લાન' પર ચર્ચા કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ટુંકાગાળાના કોન્ટ્રાક્ટ હેઠળ સૈનિકોની ભરતી કરવામાં આવશે. તેમને તાલીમ આપવામાં આવશે અને વિવિધ વિસ્તારોમાં પોસ્ટ કરવામાં આવશે. યોજના હેઠળ, સંરક્ષણ દળો પાસે વિશિષ્ટ કાર્યો માટે નિષ્ણાતોની ભરતી કરવાનો વિકલ્પ પણ હશે.

સશસ્ત્ર દળો તરફથી મદદ
ત્રણ વર્ષના અંતે, મોટાભાગના સૈનિકોને ફરજમાંથી મુક્ત કરવામાં આવશે અને વધુ રોજગારની તકો માટે સશસ્ત્ર દળો તરફથી સહાય મળશે. કોર્પોરેટ કંપનીઓ તેમના દેશની સેવા કરનારા પ્રશિક્ષિત અને શિસ્તબદ્ધ યુવાનો માટે નોકરીઓ અનામત રાખવામાં રસ દાખવી રહી છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
