ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં CBIનુ શું છે કામ? જાણો
ઓડિશાના બાલાસોર જિલ્લામાં ટ્રેન દુર્ઘટનાની તપાસની જવાબદારી CBIને આપવામાં આવી રહી છે. આ સાથે કમિશનર ઓફ રેલ્વે સેફટીની તપાસ પણ ચાલુ રહેશે અને તેઓ બે સપ્તાહમાં પોતાનો રિપોર્ટ રેલ્વેને સુપરત કરે તેવી શક્યતા છે. પરંતુ, સવાલો ઉઠી રહ્યા છે કે આ અકસ્માતમાં સીબીઆઈની શું જરૂર હતી?
બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં જેમાં પ્રત્યેક ત્રણ ટ્રેનને અકસ્માત થયો હતો અને કોરોમંડલ એક્સપ્રેસ ખરાબ રીતે ક્રેશ થઈ હતી, સીબીઆઈ જેવી એજન્સી પાસે તપાસ કરવાનો નિર્ણય પ્રથમ નજરે આશ્ચર્યજનક લાગે છે. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં લગભગ 1200 લોકો ઘાયલ થયા હતા અને 275 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ બાબતની જાણકાર સૂત્રો કહે છે કે, શું પોઈન્ટ મશીન કે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગ સિસ્ટમ સાથે કોઈ ચેડાં થયાં હતાં? શું રિકોન્ફિગરેશનને કારણે ટ્રેનનો ટ્રેક બદલાયો હતો કે સિગ્નલમાં ખામી હતી? દેશની ટોચની તપાસ એજન્સી ગુનાહિત એંગલથી આની તપાસ કરશે. મતલબ કે આ અકસ્માતમાં કોઈ ગુનો નથી?
અત્રે નોંધનીય છે કે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે દૂરદર્શનને જણાવ્યું હતું કે દુર્ઘટનાનું 'મૂળ કારણ' અને તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. રેલ્વે મંત્રીના કહેવા પ્રમાણે, ટ્રેકના કન્ફિગરેશનમાં ફેરફાર અકસ્માતનું કારણ બની શકે છે.
'જેણે પણ આ કર્યું છે તેને બક્ષવામાં આવશે નહીં.' આ પહેલા શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રેલ્વે નિષ્ણાતોના મતે, ઈલેક્ટ્રીક પોઈન્ટ મશીન રેલ્વેના સિગ્નલિંગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે, તે પોઈન્ટ સ્વિચને લોક કરવા માટે જરૂરી છે અને તે ટ્રેનોની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
દાખલા તરીકે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (બેંગલોર)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને રેલ સ્ટાર્ટઅપ L2Mના સ્થાપક એસ.કે. સિંહાએ NDTVને જણાવ્યું કે સ્ટેશન-ઇન્ચાર્જ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ દ્વારા ટ્રેનનો રૂટ સેટ કરે છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
