કોર્ટનો આદેશ ગમે તે હોય, નવરાત્રી પર ડીજે વાગશેઃ પ્રજ્ઞા ઠાકુર
કોર્ટનો આદેશ ગમે તે હોય, નવરાત્રી પર ડીજે વાગશેઃ પ્રજ્ઞા ઠાકુર
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશની ભોપાલ સીટથી સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે નવરાત્રી પર ડીજ જરૂર વગાડવામાં આવશે પછી તે કોર્ટના આદેશની વિરુદ્ધ જ કેમ ન હોય. પ્રાએ કહ્યું કે માત્ર હિન્દુઓ માટે જ નવરાત્રી પર ડીજે વગાડવાને લઈ કાયદા કાનૂન લાવવામાં આવે છે, અમે આ નહિ માનીએ. તેણે કહ્યું કે આ તો અમારી આસ્થાનો મામલો છે, આમાં કાનૂન અને પ્રશાસન ન લાવવામાં આવે.

કોર્ટના આદેશથી સહમત નહિ
ભોપાલમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન પ્રજ્ઞા સાથે જ્યારે મોડી રાતે ડીજે વગાડવાને લઈ કોર્ટે આપેલ આદેશ પર સવાલ કરવામાં આવ્યો તો તેમે કહ્યું કે નવરાત્રી પર અમે લાઉડસ્પીકરનો ઉપયોગ કરશું અને ડીજે પણ વગાડશું. પ્રજ્ઞાએ ત્યાં સુધી કહી દીધું કે આ મામલે તે કોર્ટનો ફેસલો નહિ માને.

દુર્ગા પંડાલ પર પ્રશાસનના ફેસલાનો પણ વિરોધ કર્યો
હાલમાં જ ભોપાલમાં હોડી દુર્ઘટના બાદ દુર્ગા પંડાલો અને પ્રતિમાઓને લઈ જિલ્લા પ્રશાસન તરફથી જાહેર થયેલ ગાઈડલાઈનને પણ પ્રજ્ઞાએ હિન્દુ વિરોધી ગણાવી હતી. પ્રજ્ઞાએ કહ્યું હતું કે પ્રશાસનનો આદેશ હિન્દુ વિરોધી છે. પ્રજ્ઞાએ દુર્ગા પંડાલોમાં ડીજે સાઉન્ડ વગાડવાની સમય સીમા નક્કી કરવા પર કહ્યું કે તેમનું મન હશે ત્યાં સુધી સાઉન્ડ વાગશે.

વિવાદોમાં રહી પ્રજ્ઞા
2019ની લોકસભા ચૂંટણીમાં ભોપાલ સીટથી સાંસદ બનેલ પ્રજ્ઞા ઠાકુર માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં આરોપી છે. તેના પર કેસ ચાલી રહ્યો છે. પ્રજ્ઞા આ મામલે જેલ પણ રહી આવી છે. ચૂંટણી સમયે પણ પ્રજ્ઞા પોતાના નિવેદનોને લઈ ચર્ચામાં આવી હતી. પ્રજ્ઞાના નથુરામ ગોડસે વાળા નિવેદનને કારણે બીજી પાર્ટીઓનો વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે પ્રજ્ઞા ઠાકુરે નથુરામ ગેડસેને એક દેશભક્ત ગણાવ્યો હતો.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
