જ્યારે 1999માં જયલલિતાના એક વોટથી પડી ભાંગી હતી અટલ બિહારી વાજપેયીની સરકાર...
No Confidence Motion: લોકસભામાં બુધવારે કોંગ્રેસે સરકાર સામે અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ આપી દીધી. વિપક્ષ એક થઈને માંગ કરી રહ્યુ છે કે મણિપુર મુદ્દે પ્રધાનમંત્રી સંસદમાં આવીને નિવેદન આપે. સરકારનું કહેવું છે કે તે મણિપુરના મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ વિપક્ષ ગૃહને કામકાજ કરવા દેવા માંગતો નથી.
આ સ્થિતિમાં કેન્દ્રની મોદી સરકાર સામે વિપક્ષ દ્વારા આજે લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એનડીએ સરકારને ગૃહમાં બહુમત સાબિત કરવો પડ્યો હતો અને આ અગ્નિ પરીક્ષામાં વાજપેયી સરકાર નિષ્ફળ પુરવાર થઈ હતી અને માત્ર એક વોટથી તેમની પડી ભાંગી હતી.

17 એપ્રિલ 1999, જ્યારે અટલ બિહારી વાજપેયી સરકારે એક મતથી સંસદનો વિશ્વાસ ગુમાવ્યો (269-270). તેમને તેમની સરકાર ચાલુ રાખવા માટે જરૂરી સમર્થન નહીં મળે તે જાણીને તેમણે સત્તા સંભાળ્યાના 13 દિવસની અંદર જ રાજીનામું આપવું પડ્યું હતું.
1998ની સામાન્ય ચૂંટણીઓમાં, કોઈપણ પક્ષને સંપૂર્ણ બહુમતી મળી ન હતી, પરંતુ NDA એ AIADMKના સમર્થન સાથે કેન્દ્રમાં સરકાર બનાવી હતી. લગભગ 13 મહિના પછી, એપ્રિલ 1999માં, દિવંગત નેતા જયલલિતાની પાર્ટી AIADMK એ વાજપેયી સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું અને સરકાર લઘુમતીમાં આવી ગઈ.
આ પછી રાષ્ટ્રપતિએ ફરીથી સરકારને બહુમત સાબિત કરવા કહ્યું. જે બાદ વાજપેયી સરકારે વિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ફરજ પડી હતી. આ પછી સંસદના કોરિડોરમાં હોબાળો થયો હતો. રાજ્યસભાના સભ્ય સુબ્રમણ્યમ સ્વામી દ્વારા આયોજિત ચા પાર્ટીમાં ચર્ચા કરવામાં આવી હતી.
વાજપેયીની સરકારના મુખ્ય ઘટકોમાંના એક, અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)ના નેતા જે જયલલિતા એ વર્ષે 29 માર્ચે યોજાયેલી પાર્ટીમાં હાથ મિલાવવા અને સરકારને નીચે ખેંચવા માટે તત્કાલિન કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સાથે સામસામે આવ્યા હતા.
17 એપ્રિલ, 1999ના રોજ, જ્યારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું, ત્યારે સરકાર એક મતથી હારી ગઈ અને આ રીતે સરકાર પડી. બસપાએ પણ સરકાર વિરૂદ્ધ મતદાન કર્યા બાદ વાજપેયી એક મતથી હારી ગયા હતા.
વિશ્વાસની દરખાસ્તની તરફેણમાં અને વિરોધમાં મતદાન કર્યા પછી, લોકસભા અધ્યક્ષે જાહેરાત કરી કે વિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં 269 અને તેની વિરુદ્ધમાં 270 મત પડ્યા. આ રીતે તેર મહિનાની વાજપેયી સરકાર માત્ર એક મતથી હારી ગઈ છે.
જો કે, વાજપેયીની આગેવાની હેઠળની ભાજપ પછીની ચૂંટણીમાં ફરી સત્તા પર આવી. આ વખતે, કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષે 2003માં વાજપેયી સરકાર સામે બીજી અવિશ્વાસની દરખાસ્ત લાવી હતી. આ વખતે, ભાજપે 312 થી 186 મતોની પ્રચંડ બહુમતીથી જીત મેળવી હતી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?







Click it and Unblock the Notifications
