કોણ છે રાજા રાજા ચોલા, લોકો કેમ સર્ચ કરી રહ્યાં છે તેમનો ધર્મ?
રાજા રાજા ચોલ ભારતના મહાન રાજાઓમાંના એક હતા. જેમણે પોતાની શક્તિથી માત્ર સામ્રાજ્યનો વિસ્તાર કર્યો જ નહીં, પરંતુ સેંકડો ઐતિહાસિક મંદિરો પણ બનાવ્યા, જે આજે પણ મજબૂત રીતે ઊભા છે. આશ્ચર્યની વાત એ છે કે ભવ્ય મંદિરોના નિર્માણ
રાજા રાજા ચોલ ભારતના મહાન રાજાઓમાંના એક હતા. જેમણે પોતાની શક્તિથી માત્ર સામ્રાજ્યનો વિસ્તાર કર્યો જ નહીં, પરંતુ સેંકડો ઐતિહાસિક મંદિરો પણ બનાવ્યા, જે આજે પણ મજબૂત રીતે ઊભા છે. આશ્ચર્યની વાત એ છે કે ભવ્ય મંદિરોના નિર્માણ બાદ પણ રાજરાજા ચોલના ધર્મની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
હકીકતમાં તાજેતરમાં જ તમિલ નિર્દેશક વેત્રીમારે રાજરાજા ચોલા હિંદુ ન હોવાનું નિવેદન આપીને લોકોને ચોંકાવી દીધા હતા. સાઉથના સુપરસ્ટાર કમલ હાસને તેમના નિવેદનને સમર્થન આપ્યું હતું. ત્યારથી લોકો ગુગલ પર રાજરાજા ચોલ ધર્મ સર્ચ કરી રહ્યા છે. તેમના સિવાય કમલ હાસનના ધર્મને સર્ચ કરવામાં આવી રહ્યો છે.

ચોલા વંશનો ઇતિહાસ
ઈતિહાસકારોના મતે કાવેરી ડેલ્ટામાં મુટીયાર તરીકે ઓળખાતા નાના પરિવારની સત્તા હતી. શરૂઆતમાં આ મુતિયારો પલ્લવ રાજાઓ હેઠળ હતા, પરંતુ 849 એડીમાં સરદાર વિજયાલયે મુતિયારોને હરાવ્યા અને ડેલ્ટા પર પોતાનું શાસન શરૂ કર્યું. આ સાથે તેણે ચોલ વંશનો પાયો નાખ્યો. બાદમાં વિજયાલયે તંજાવુર (તમિલનાડુનું હાલનું શહેર) સ્થાયી કર્યું અને ત્યાં નિશુમ્ભાસુદિની દેવીનું ભવ્ય મંદિર બનાવ્યું.

માલદીવ સુધી હતુ ચોલા સામ્રાજ્ય
રાજા વિજયાલયની જેમ તેના વંશજો પણ પરાક્રમી નીકળ્યા, જેના કારણે ચોલ સામ્રાજ્યનો વિકાસ થતો રહ્યો. ઈતિહાસકારોના મતે 985-1014 સુધીમાં ચોલા સામ્રાજ્યનું વિસ્તરણ શ્રીલંકા, ઓડિશા અને માલદીવ હતું. આ સામ્રાજ્યના રાજાઓએ તમિલ સંસ્કૃતિ સાથે એવા મંદિરો બનાવ્યા, જે આજે પણ ગર્વ સાથે ઉભા છે. તેમની સ્થાપત્ય અને શિલ્પો ખૂબ જ આકર્ષક છે, જેમાં બૃહદેશ્વર મંદિર, રાજરાજેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. મંદિરો ઉપરાંત, રાજા ચોલની નૌકાદળ પણ ખૂબ શક્તિશાળી હતી, જેમાં 12,000 સૈનિકો હતા. તેણે પોતાના દમ પર માલદીવ કબજે કર્યું.

કમલ હસને શું કહ્યું?
જો કે મોટાભાગના લોકો રાજા ચોલાને હિંદુ માને છે, પરંતુ રાજા ચોલાની મંદિર પ્રત્યેની રુચિને જોતા કમલ હાસન આ અંગે અલગ મત ધરાવે છે. તેમણે કહ્યું કે ચોલ વંશના શાસન દરમિયાન હિન્દુ ધર્મ નામની કોઈ વસ્તુ ન હતી. તે સમયે વૈષ્ણવ, શૈવ હતા. પાછળથી અંગ્રેજો આવ્યા અને તેમણે હિન્દુ શબ્દની શોધ કરી.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
