કોણ હશે બે નવા ચૂંટણી કમિશનર? નેતા વિપક્ષ અધીર રંજન ચૌધરીએ નામનો ખુલાસો કર્યો
લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનર અરૂણ ગોયલના રાજીનામાએ મોટા વિવાદ પેદા કર્યા છે. આ વિવાદ વચ્ચે બન્ને નવા ચૂંટણી કમિશનરના નામ સામે આવ્યા છે.
અરૂણ ગોયલના રાજીનામાં બાદ વિપક્ષો મોદી સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે. આ સ્થિતી વચ્ચે નેતા વિપક્ષ અધીર રંજન ચૌધરીએ નવા ચૂંટણી કમિશનરના નામનો ખુલાસો કર્યો છે.

પીએમ મોદી અને કાયદા મંત્રી અર્જુન મેઘવાલ સાથે બેઠક બાદ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે નવા ચૂંટણી કમિશનરો માટે જ્ઞાનેશ કુમાર અને વી સંધુના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે.
ચૂંટણી કમિશનર અરુણ ગોયલે તેમના પદ પરથી અચાનક રાજીનામું આપ્યા પછી લોકસભા ચૂંટણીની તમામ તૈયારીઓની જવાબદારી ફક્ત મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના ખભા પર આવી ગઈ હતી.
આવી સ્થિતિમાં નવા ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
પેનલના સભ્ય અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, સમિતિ સમક્ષ છ નામો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી આ બે નામો પર સર્વસંમતિ સધાઈ છે. અધીર રંજન ચૌધરી ચૂંટણી કમિશનરની પસંદગી સંબંધિત સમિતિનો ભાગ છે.
બેઠક બાદ ચૌધરીએ જણાવ્યું હતું કે સમિતિ સમક્ષ છ નામો મૂકવામાં આવ્યા, જેમાંથી આ બે નામોને મંજૂરી આપવામાં આવી હતી.
ચૂંટણી કમિશનરની પસંદગી માટે મળેલી પસંદગી સમિતિની બેઠક બાદ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે, આ સમિતિમાં સરકાર પાસે બહુમતી છે. કેરળના જ્ઞાનેશ કુમાર અને પંજાબના સુખબીર સંધુને ચૂંટણી કમિશનર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
જે બે નામ ફાઈનલ થયા છે તેમાંથી સુખબીર સંધુ ઉત્તરાખંડના મુખ્ય સચિવ અને NHAIના અધ્યક્ષ રહી ચૂક્યા છે. જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે. તેમને ગૃહ મંત્રાલયમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ સહકાર મંત્રાલયમાં સચિવ પદેથી નિવૃત્ત થયા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
