અમેઠી-રાયબરેલીથી કોણ લડશે રાહુલ કે પ્રિયંકા? આજે થઇ શકે છે નિર્ણય
Amethi Lok sabha Seat: અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકના ઉમેદવાર અંગે કોંગ્રેસ આજે નિર્ણય કરી શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ શનિવારના રોજ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠક માટે પાર્ટીના ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના ઉત્તર પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે અને વિધાયક દળના નેતા આરાધના મિશ્રાએ નેતૃત્વને વિનંતી કરી હતી કે, રાહુલ ગાંધીએ અમેઠીથી ચૂંટણી લડવી જોઈએ, અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાયબરેલીથી ચૂંટણી લડવી જોઈએ.

રાહુલ ગાંધી 2004 થી 2019 સુધી અમેઠીથી લોકસભાના સભ્ય હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં તેમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં શુક્રવારે મતદાન સમાપ્ત થયું હતું.
આવા સમયે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ વખતે રાયબરેલીથી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો અને તેઓ રાજસ્થાનથી રાજ્યસભા માટે ચૂંટાયા છે. તેમણે બે દાયકા સુધી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આવી સ્થિતિમાં પ્રિયંકા ગાંધી આ બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.
અમેઠીમાં પાંચમા તબક્કા માટે 20 મેના રોજ મતદાન થશે. જ્યારે અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકો પરથી પાર્ટીના સંભવિત ઉમેદવારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે, કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે, તમારે હજુ થોડા દિવસો રાહ જોવી પડશે. જ્યારે મને લોકો પાસેથી ઉમેદવારોના નામ મળશે અને હું સહી કરીશ. નોટિફિકેશન, પછી તેની જાહેરાત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
