ઓછા સાંસદો હોવા છત્તા વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ કેમ લાવ્યુ? આ છે મુખ્ય કારણો
નરેન્દ્ર મોદી સરકારના ભેદી મૌન વચ્ચે મણિપુરને સળગતુ છોડનારી બીજેપી સરકાર વિરૂદ્ધ વિપક્ષી પાર્ટીઓ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવી છે. જો કે સંસદમાં વિપક્ષી સાંસદોની ઓછી સંખ્યાને કારણે નરેન્દ્ર મોદી સરકારને કોઈ આંચ નહીં આવે. બીજી તરફ આ વિપક્ષની રણનીતિનો ભાગ છે.
વિપક્ષી પાર્ટીઓ સારી રીતે જાણે છે કે તેમની પાસે બહુમતી નથી. હવે સવાલ એ છે કે આવી સ્થિતીમાં પણ અવિશ્વાસ પ્રસ્તાવ કેમ લવાયો? હકિકતમાં મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાનો હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌનને તોડવાનો છે.

જણાવી દઈએ કે, મણિપુરમાં હિંસા માટે જવાબદાર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્યની બીજેપી સરકારની નિષ્ફળતાને કારણે કેટલાક હેવાનોએ મહિલાઓ નગ્ન પરેડ કરાવીને બળાત્કાર ગુજાર્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ વિપક્ષ ગુસ્સામાં છે અને સતત સંસદમાં ચર્ચાની માંગ કરી રહ્યો છે.
આ મુદ્દે વિપક્ષી પાર્ટીઓ સત્રની શરૂઆતથી જ આક્રમક જોવા મળી છે. વિપક્ષ પીએમ નરેન્દ્ર મોદી પર આ મુદ્દે મૌન તોડવા સતત દબાણ બનાવી રહી છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ પણ પીએમ મોદીના મૌનને તોડવા માટે જ લાવવામાં આવ્યો છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, લોકસભામાં વિપક્ષી પાર્ટીના 150 સાંસદ છે. જે કુલ 543માંથી ઘણા ઓછા છે. આ સ્થિતીમાં વિપક્ષી પાર્ટીના અવિશ્વાસ પ્રસ્તાવથી સરકારને કોઈ અસર નહીં થાય. અહીં એક વાત એ પણ જાણવી જરૂરી છે કે સંસદમાં 50 સાંસદોની સંમતિ સાથે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ થાય ત્યારે ચર્ચા થાય છે.
જો કે આ અવિશ્વાસ પ્રસ્તાવથી વિપક્ષી પાર્ટીઓને એટલો ફાયદો નહીં થાય. લોકસભામાં ચર્ચા દરમિયાન તેમને એટલો વધારે સમય નહીં મળે. ગૃહમાં પક્ષોની સંખ્યા અનુસાર સમય ફાળવવામાં આવે છે.
વિરોધ પક્ષોનો આ અવિશ્વાસ પ્રસ્તાવ પાછળનો હેતુ મણિપુર મુદ્દાને લોકો સામે મુકવા અને સરકાર પર દબાણ લાવવા માટે ગૃહમાં ચર્ચા કરવાનો છે. જેથી વડાપ્રધાનને આ મુદ્દે સંસદને સંબોધવાની ફરજ પડે. અહેવાલો અનુસાર, વિપક્ષો મણિપુર સાથે સાથે દેશના બીજા મુદ્દાઓ પણ ઉઠાવશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
