નરેન્દ્ર મોદીને જોઇને નવાઝ શરીફના માતા કેમ ભાવુક બન્યાં?
નવી દિલ્હી, 27 મે : ભારતના 15મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સત્તાવાર રીતે પોતાનું કામકાજ સંભાળી લીધું છે. જો કે આની પૂર્વ સંધ્યા એટલે કે શપથવિધિ બાદ નરેન્દ્ર મોદીએ પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી હતી.
આ પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે જે સમય તેઓ પાકિસ્તાનના 15મા વડાપ્રધાન નવાઝ શરીફ સાથે હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે બંને વચ્ચે ઔપચારિક વાતચીત થઇ હતી. ત્યારે નવાઝ શરીફે જણાવ્યું હતું કે કેવી રીતે નરેન્દ્ર મોદીને જોઇને તેમના માતાના આંખમાં આંસુ આવી ગયા હતા.
નરેન્દ્ર મોદીએ પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે જે સમયે તેઓ શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હી આવતા પહેલા ગાંધીનગરથી પોતાના માતા હીરા બાને મળવા ગયા હતા અને તેમના માતાએ પોતાના હાથથી તેમને મીઠાઇ ખવડાવી હતી ત્યારની ક્ષણ જોઇને શરીફના માતા ભાવુક બની ગયા હતા.
નવાઝ શરીફે નરેન્દ્ર મોદીને હાથ મિલાવતા સમયે એમ પણ જણાવ્યું કે તેઓ સપ્તાહમાં એક વાર પોતાના માતાને મળવા માટે જરૂર જાય છે. આ વખતે જ્યારે તેઓ પોતાના માતાને મળવા ગયા ત્યારે તેમની સાથે બેસીને ભોજન લઇ રહ્યા હતા. તે જ સમયે ટેલિવિઝન ન્યુઝ ચેનલ્સ પર મોદીના માતા તેમને મીઠાઇ ખવડાવી રહ્યા હોય તેવા વિઝ્યુઅલ્સ ચાલી રહ્યા હતા. આ વિઝ્યુઅલ્સ જોતા જ તેમના માતા ભાવુક બની ગયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.
આગળ સ્લાઇડ્સમાં નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફની ખાસ મુલાકાત વાંચો...

શરીફના માતા બન્યા ભાવુક
નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર લખ્યું છે કે જે રીતે હીરા બાએ તેમને મીઠાઇ ખવડાવી હતી તે જોઇને શરીફના માતા ભાવુક બની ગયા હતા.

મોદીએ આગળ વધાર્યો દોસ્તીનો હાથ
નરેન્દ્ર મોદીએ નવાઝ શરીફને શપથવિધિમાં આવવાનું આમંત્રણ મોકલ્યું તેના ત્રણ દિવસમાં જ તેમણે હાજરી આપવાનું સ્વીકાર્યું હતું. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ નરેન્દ્ર મોદીની સાથે ભારતીય કૂટનીતિની પણ જીત છે.

તણાવ ઘટાડવાનો પ્રયત્ન
નવાઝ શરીફનું ભારતમાં આવવું એ બંને દેશો વચ્ચેનો તણાવ ઘટાડવાનો સંકેત છે.

નવાઝનો સંદેશ
નવાઝ શરીફ પાકિસ્તાનથી ભારત આવવા રવાના થયા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ શાંતિનો સંદેશ લઇને ભારત જઇ રહ્યા છે.

મોદી પાસે વધારે અપેક્ષા નહીં
નવાઝ શરીફને સંદેશો આપતા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પાકિસ્તાનના રાજદૂતે જણાવ્યું છે કે મોદી પાસેથી વઘારે આશા રાખશો નહીં.

ભારતને મળશે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો
નવાઝ શરીફ જે રીતે ભારત આવ્યા છે તે જોતા લાગે છે કે પાકિસ્તાન ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપશે.
શરીફના માતા બન્યા ભાવુક
નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર લખ્યું છે કે જે રીતે હીરા બાએ તેમને મીઠાઇ ખવડાવી હતી તે જોઇને શરીફના માતા ભાવુક બની ગયા હતા.
મોદીએ આગળ વધાર્યો દોસ્તીનો હાથ
નરેન્દ્ર મોદીએ નવાઝ શરીફને શપથવિધિમાં આવવાનું આમંત્રણ મોકલ્યું તેના ત્રણ દિવસમાં જ તેમણે હાજરી આપવાનું સ્વીકાર્યું હતું. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ નરેન્દ્ર મોદીની સાથે ભારતીય કૂટનીતિની પણ જીત છે.
તણાવ ઘટાડવાનો પ્રયત્ન
નવાઝ શરીફનું ભારતમાં આવવું એ બંને દેશો વચ્ચેનો તણાવ ઘટાડવાનો સંકેત છે.
નવાઝનો સંદેશ
નવાઝ શરીફ પાકિસ્તાનથી ભારત આવવા રવાના થયા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ શાંતિનો સંદેશ લઇને ભારત જઇ રહ્યા છે.
મોદી પાસે વધારે અપેક્ષા નહીં
નવાઝ શરીફને સંદેશો આપતા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પાકિસ્તાનના રાજદૂતે જણાવ્યું છે કે મોદી પાસેથી વઘારે આશા રાખશો નહીં.
ભારતને મળશે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો
નવાઝ શરીફ જે રીતે ભારત આવ્યા છે તે જોતા લાગે છે કે પાકિસ્તાન ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપશે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
