'દર વખતે સોનિયા ગાંધીને મળવુ જરૂરી છે?' મમતા બેનર્જીએ આપ્યા મોટા સંકેત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી)ના પ્રમુખ મમતા બેનર્જીએ પોતાની પાર્ટીના વિસ્તારના સંકેત આપી દીધા છે

નવી દિલ્લીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી)ના પ્રમુખ મમતા બેનર્જીએ પોતાની પાર્ટીના વિસ્તારના સંકેત આપી દીધા છે અને કહ્યુ છે કે તે આને ચાલુ રાખશે. બુધવારે(22 નવેમ્બર)ના રોજ પોતાના અખિલ ભારતીય રાજકીય નેટવર્કને વધારવા અંગે તે સ્પષ્ટ દેખાયા. આ સિલસિલામાં મમતા બેનર્જી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસી અને વિપક્ષીઓના મોટા ગઢ મુંબઈનો પણ પ્રવાસ કરશે. સીએમ મમતા બેનર્જીએ સંકેત આપ્યા કે સીએમ મમતા બેનર્જી તેમની યોજનાઓ પર કબ્જો કરી શકે છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત પર તેમણે કહ્યુ કે દર વખતે તેમને મળવાની જરુર શું છે.

'દર વખતે સોનિયા ગાંધીને કેમ મળુ, એ બંધારણીય રીતે અનિવાર્ય નથી'

'દર વખતે સોનિયા ગાંધીને કેમ મળુ, એ બંધારણીય રીતે અનિવાર્ય નથી'

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત વિશે પૂછવા પર મમતા બેનર્જીએ કહ્યુ, 'હું દર વખતે સોનિયા ગાંધીને કેમ મળુ, મારે દર વખતે સોનિયાને કેમ મળવુ જોઈએ? તે બંધારણીય રીતે અનિવાર્ય નથી.' મમતા બેનર્જીએ મોટા સંકેત આપ્યા કે કોંગ્રેસ તેમની યોજનાઓમાં કયા સ્થાનો કબ્જો કરી શકે છે. મમતા બેનર્જીએ કહ્યુ કે આ વખતે તેમણે માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્દર મોદીને મળવાનો સમય માંગ્યો હતો. મમતા બેનર્જીએ કહ્યુ, 'હાલમાં બધા નેતા પંજાબ ચૂંટણીમાં વ્યસ્ત છે. કામ પહેલા છે માટે બધાને મળવાની કોઈ જરુર નથી.'

ગયા સપ્તાહે ઘણા કોંગ્રેસ નેતા ભાજપમાં થયા શામેલ

ગયા સપ્તાહે ઘણા કોંગ્રેસ નેતા ભાજપમાં થયા શામેલ

ગયા સપ્તાહોમાં ઘણા નેતાઓએ પોતાનો પક્ષ બદલી દીધો છે. ઘણા કોંગ્રેસ નેતા ટીએમસીમાં શામેલ થયા છે તેમાં ગોવામાં લુઈજિન્હો ફ્લેરિયો, દિવંગત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દીકરા અભિજીત મુખર્જી, સિલચરથી કોંગ્રેસના પૂર્વ સાંસદ સુષ્મિતા દેવ અને દિવંગત કોંગ્રેસ નેતા સંતોષ મોહન દેવની દીકરી શામેલ છે. મમતા બેનર્જી સોનિયા ગાંધી સાથે સારા સમીકરણ શેર કરવા માટે જાણીતા છે પરંતુ આ આગળ નથી વધી રહ્યુ. બંગાળના કોંગ્રેસ નેતાઓની મમતા બેનર્જી પ્રત્યે ઉદાસીનતાએ બંને પક્ષો વચ્ચે વધુ એક તિરાડ પેદા કરી દીધી છે.

'જો અખિલેશ યુપી ચૂંટણીમાં મદદ ઈચ્છતા હોય, તો હું કરીશ...'

'જો અખિલેશ યુપી ચૂંટણીમાં મદદ ઈચ્છતા હોય, તો હું કરીશ...'

તૃણમૂલ પ્રમુખ મમતા બેનર્જી, જેમના બંગાળમાં એપ્રિલ-મે વિધાનસભા ચૂંટણીમાં જીતે 2024ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને વિપક્ષના પડકારનુ નેતૃત્વ કરવાની ચર્ચા શરૂ કરી દીધી હતી. મમતા બેનર્જીએ કહ્યુ કે તે આગામી ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં સહયોગ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યુ, 'જો તૃણમૂલ યુપીમાં ભાજપને હરાવવામાં મદદ કરી શકે તો અમે જઈશુ..જો અખિલેશ(સમાજવાદી પ્રમુખ અખિલેશ યાદવ) અમારી મદદ ઈચ્છતા હોય તો અમે આપીશુ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X