શ્રદ્ધાની 2020ની ફરીયાદ પર કેમ ના થઇ કાર્યવાહી? નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કરાવશે તપાસ
શ્રદ્ધા વોકરની તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ દ્વારા 18 મેના રોજ હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા. આ પછી ધીમે ધીમે મૃતદેહના ટુકડા મેહરૌલીના જંગલોમાં ફેંકી દેવાયા. દિલ્હી પોલીસ આ મ
શ્રદ્ધા વોકરની તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ દ્વારા 18 મેના રોજ હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા. આ પછી ધીમે ધીમે મૃતદેહના ટુકડા મેહરૌલીના જંગલોમાં ફેંકી દેવાયા. દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ રોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. બુધવારે શ્રદ્ધા વોકરની ફરિયાદનો જૂનો પત્ર વાયરલ થયો હતો. આ પત્ર દ્વારા વોકરે મહારાષ્ટ્ર પોલીસને ફરિયાદ કરી હતી કે આફતાબ તેને મારી નાખવાની અને તેના ટુકડા કરવાની ધમકી આપી રહ્યો છે.

નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપી પ્રતિક્રીયા
શ્રદ્ધા વોકર દ્વારા કરવામાં આવેલી આ ફરિયાદની તપાસ કેમ ન કરાઈ? મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી ફડણવીસની પ્રતિક્રિયા સામે આવી છે. એક ટીવી ચેનલ સાથેની વાતચીત દરમિયાન તેણે કહ્યું કે વર્ષ 2020માં શ્રદ્ધા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ ખૂબ જ ગંભીર હતી. તેણે કહ્યું કે જો તે સમયે તપાસ થઈ હોત તો શ્રદ્ધાનો જીવ બચી ગયો હોત. ફડણવીસે કહ્યું કે તેઓ હવે આ મામલાની તપાસ કરાવશે કે તે સમયે મામલાની તપાસ કેમ ન થઈ?

તુલિજ પોલીસ સ્ટેશનમાં કરાઇ હતી ફરીયાદ
2020માં શ્રદ્ધા વોકર વતી તુલિંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ દ્વારા શ્રદ્ધાએ આરોપ લગાવ્યો હતો કે આફતાબ તેને મારતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો અને તેના ટુકડા કરવાની પણ વાત કરતો હતો.

શ્રદ્ધા હત્યાકાંડનો આ રીતે થયો ખુલાસો
શ્રદ્ધા અને આફતાબ એક ડેટિંગ એપ દ્વારા મળ્યા હતા. શ્રદ્ધા મુંબઈની રહેવાસી હતી. જ્યારે આફતાબ પણ અહીંનો રહેવાસી હતો. બંને વચ્ચે વાતચીત આગળ વધતાં તેઓ સાથે રહેવા લાગ્યા. જોકે શ્રદ્ધાનો પરિવાર આ સંબંધની વિરુદ્ધ હતો. જ્યારે પિતાએ શ્રદ્ધાને આફતાબ સાથે રહેવાની મનાઈ કરી ત્યારે તેણે પિતા સાથેના સંબંધોનો અંત લાવ્યો અને કહ્યું કે હું આજથી તારા માટે મરી ગયો છું. આ બધું હોવા છતાં પણ શ્રધ્ધાના પરિવારના સભ્યો મિત્રો દ્વારા તેના પર નજર રાખી રહ્યા હતા.
જ્યારે શ્રદ્ધાએ કેટલાક દિવસો સુધી મિત્રો સાથે વાત કરી ન હતી, ત્યારે મિત્રોએ આ વિશે શ્રદ્ધાના પિતાને જાણ કરી હતી. આ પછી પિતાએ પાલઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જ્યારે આ કેસમાં તપાસ શરૂ થઈ ત્યારે શ્રદ્ધાનું છેલ્લું લોકેશન દિલ્હીમાં મળી આવ્યું હતું. જે બાદ પાલઘર પોલીસે મામલો દિલ્હી પોલીસને સોંપી દીધો હતો. જ્યારે દિલ્હી પોલીસે તપાસ માટે આફતાબની પૂછપરછ કરી તો તે સાચું બોલતો ન હતો અને કહી રહ્યો હતો કે શ્રદ્ધા તેને છોડીને ક્યાંક ચાલી ગઈ છે. જોકે, દિલ્હી પોલીસે તેની કડક પૂછપરછ કરી ત્યારે સત્ય બહાર આવ્યું હતુ.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ











Click it and Unblock the Notifications
