નરેન્દ્ર મોદીએ શા માટે માત્ર ગુજરાતીઓને બચાવ્યા? : શિવસેના

ભારતના ઉત્તરીય રાજ્ય ઉત્તરાખંડમાં મુશ્કેલીઓનો પાર નથી. એક પછી એક મુશ્કેલીઓ વધી રહી છે ત્યારે મદદ કરવા આગળ આવવાને બદલે રાજકીય પક્ષો એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરવાનું ચૂકી રહ્યા નથી. એનડીએના ઘટક પક્ષ શિવ સેનાએ નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને બચાવવા માટે કરેલી વ્યવસ્થા સામે પ્રશ્ન ઉભો કર્યો છે. શિવ સેનાનું કહેવું છે કે નરેન્દ્ર મોદી શા માટે માત્ર ગુજરાતીઓને બચાવી રહ્યા છે?
ઉત્તરાખંડની બળતી સમસ્યાઓમાં ઘી હોમતા હોય તેમ શિવસેના સહિતના રાજકીય પક્ષોએ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની ઉત્તરાખંડ યાત્રા અંગે તેમના પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ મોદીને કહ્યું છે કે ઉત્તરાખંડમાં મોદી મદદના નામે પ્રાદેશિકતાનો પ્રચાર કરી રહ્યા છે.
શિવસેનાએ મુખપત્ર સામનામાં નરેન્દ્ર મોદીની કામગીરી પર નિશાન તાકવામાં આવ્યું છે. મુખપત્રમાં જણાવાયું છે કે ઉત્તરાખંડમાં કુદરતી હોનારતનો પ્રકોપ છે, આવા સમયે દેશના તમામ લોકોએ એક સાથે મળી તેમની મદદ માટે પ્રયત્નો કરવા જોઈએ નહિં કે, કોઈ એક રાજ્યના લોકો માટે આ પ્રયાસો હોવા જોઈએ. વધુમાં કહેવાયું છે કે મહારાષ્ટ્ર રાજ્ય પર પ્રાદેશિકતાવાદનો આરોપ મૂકવામાં આવે છે, ત્યારે નરેન્દ્ર મોદીએ પોતાની ઉત્તરાખંડ યાત્રાને પ્રાદેશિકતાનો રંગ આપવાનો પ્રયાસ કર્યો છે. નરેન્દ્ર મોદી શા માટે માત્ર ગુજરાતીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
-
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી












Click it and Unblock the Notifications
