Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જિયા ઉલ હકની પત્ની અને ભાઇને અપાઇ નોકરી

parveen
લખનઉ, 10 માર્ચ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાનું વચન પાળી વિવાદાસ્પદ કૂંડા હત્યાકાંડમાં શહીદ થયેલા પોલીસ અધિકારી જિયાઉલ હકની પત્ની પરવીન આઝાદ અને તેના ભાઇ સોહરાબને નોકરી આપી દીધી છે. પ્રદેશ સરકાર તરફથી જિયાઉલ હકની પત્ની પરવીન આઝાદને વિશેષ અધિકારી (ઓએસડી) તથા તેમના ભાઇ સોહરાબને સિપાહીના પદ પર વરણી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પરવીન આઝાદને સીધા ડીએસપી રેંકની નોકરી આપવાની માંગ ઉઠી રહી હતી, પરંતુ આ પદ લોકસેવા પંચ દ્વારા સૃજીત હોવાના કારણે ઉપરના પદ પર સીધી રીતે નિમણૂંક આપી શકાય નહી.

આવામાં ડીએસપીની સમકક્ષ વેતનમાનમાં પરવીનને વિશેષ કાર્યાધિકારીનો હોદ્દો આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વિભિન્ન ઘટનાઓમાં માર્યા ગયેલા પોલીસ અધિકારીઓની પત્નીઓને ઓએસડીનો જ હોદ્દો જ આપવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લા હથિગવા વિસ્તારના બલીપૂર ગામમાં કેટલાંક લોકોએ ગ્રામ પ્રધાન અને તેમના ભાઇની હત્યા કરી દેવાઇ હતી. જેના કારણે ત્યાના લોકો જોરદાર રોષે ભરાયા હતા. અને ભીડે પોલીસ પર હુમલો કરી દીધો હતો. ભીડ પર કાબૂ મેળવવા ઘટના સ્થળે પહોંચેલા ડીએસપીનું કઇ રીતે મોત થયું તેની હજી તપાસ ચાલી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X