ફંડ ભેગું ન કરી શકતા PM પદથી દૂર કરવામાં આવ્યાં પ્રણવ

pranab-mukherjee
નવી દિલ્હી, 16 એપ્રિલ: વિકિલીક્સે અમેરિકી કેબલ્સના હવાલેથી વધુ એક ખુલાસો કર્યો છે. વિકિલીક્સે દાવો કર્યો છે કે 2006માં મંત્રીમંડળના ફેરફાર દરમિયાન પ્રણવ મુખર્જીને સોનિયા ગાંધી અને મનમોહન સિંહને રક્ષા મંત્રીના પદે એ માટે દૂર કર્યા હતા કારણ કે તે પાર્ટી માટે ફંડની વ્યવસ્થા કરી શકતા ન હતા.

પ્રણવ મુખર્જી પોતાના પદેથી દૂર થવા માટે ત્યારે રાજી થયા જ્યારે તેમને મંત્રી મંડળના મુખિયા બની રહેવાનું આશ્વાસન આપવામાં આવ્યું. પ્રણવ મુખર્જીને અંતે વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું ત્યારે તેમની જગ્યાએ એકે એંટનીને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યાં.

વિકિલીક્સે એ પણ દાવો કર્યો છે કે એકે એંટનીને રક્ષા મંત્રી બનાવ્યા બાદ કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પ્રણવ મુખર્જી રક્ષા મંત્રી રહેવા દરમિયાન અટકેલા રક્ષા સોદાઓને આગળ વધારવા માટે તેમની સામે મોટો પડકાર રહ્યો હતો. આ ખુલાસા પર રાષ્ટ્રપતિ ભવન, વડાપ્રધાન ઓફિસ કે કોંગ્રેસ અધ્યક્ષની ઓફિસમાંથી પ્રતિક્રિયાની રાહ જોવામાં આવી રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X