મોદીને માત આપવા ધર્મનિરપેક્ષ શક્તિઓ એક થાય: વડાપ્રધાન
નવી દિલ્હી, 2 ઓક્ટોબર: કલંકિત નેતાઓને બચાવવાના વટહુકમ પર પ્રધાનમંત્રી મનમોહન સિંહે પોતાની ચૂપકીદી તોડી છે. રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા આ વટહુકમ પર જણાવ્યું કે મે મારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. હું આટલી ઝલદી હતાશ નથી થતો. વડાપ્રધાને જણાવ્યું કે હું નથી જાણતો કે સંબંધિત વ્યક્તિ(રાહુલ ગાંધી)ના દિમાગમાં શું ચાલી રહ્યું છે. હું તેમની સાથે આ મુદ્દે વાત કરીશ. વડાપ્રધાને એ પણ જણાવ્યું કે હાલ તેમનો રાજીનામું આપવાનો કોઇ ઇરાદો નથી.
જોકે અમેરિકાની યાત્રાથી સ્વદેશ પરત ફરતી વખતે મનમોહન સિંહે વિશેષ વિમાનમાં પત્રકારોના સવાલના જવાબમાં જણાવ્યું કે મારા રાજીનામાનો પ્રશ્ન જ પેદા નથી થતો. તેમણે જણાવ્યું કે વટહુકમના મુદ્દે રાહુલ ગાંધી સાથે ચર્ચા કરશે, તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીએ આના માટે તેમની પાસે સમય માંગ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેબિનેટ દ્વારા પાસ આ વટહુકમ અંગે પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ વટહુકમ બકવાસ છે તેને ફાડીને ફેંકી દેવો જોઇએ. રાહુલના આ નિવેદન પર વડાપ્રધાનમંત્રીની નારાજગી હોવાની વાત કહેવામાં આવી રહી હતી. આની પર પીએમે જણાવ્યું કે વટહુકમ મુદ્દે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે.
વડાપ્રધાને બીજેપીના વડાપ્રધાન પડના ઉમેદવાર નરેન્દ્ર મોદી અંગે પણ ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું કે મોદીને હરાવવા માટે તમામ ધર્મનિરપેક્ષ શક્તિઓએ એકજૂથ થવાની જરૂર છે.