મોદી સરકારને મુદ્દાઓ આધારિત સમર્થન આપશે: જગન
નવી દિલ્હી, 19 મે: વાઇએસઆર કોંગ્રેસ પ્રમુખ જગમોહન રેડ્ડીએ સોમવારે કહ્યું કે તેમની પાર્ટી કેન્દ્રની એનડીએ સરકારને મુદ્દાઓ પર આધારિત સમર્થન આપશે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સાથે જગમોહન રેડ્ડીએ આજે વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને કહ્યું, ''આંધ્રપ્રદેશને તેમની (નરેન્દ્ર મોદી) જરૂર છે.'' તેમને પૂછવામાં આવ્યું કે નવ સીટો જીતનાર તેમની પાર્ટી એનડીએમાં સામેલ થ્શે તો તેમણે કહ્યું, ''ભાજપને કોઇ રાજકીય પક્ષના સમર્થનની જરૂરિયાત નથી.''
જગમોહન રેડ્ડીએ કહ્યું, ''તેમની પાસે 282 સાંસદ છે અને તેમને અમારામાંથી કોઇ સમર્થનની જરૂરિયાત નથી. આંધ્રપ્રદેશને તેમની (નરેન્દ્ર મોદી) જરૂરત છે.'' તેમણે કહ્યું કે તેમની પાર્ટી એનડીએ સરકારને ''મુદ્દાઓ પર આધારિત'' સમર્થન આપશે. જગમોહન રેડ્ડીને આંધ્રપ્રદેશના ભાગલાના મુદ્દે પણ નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી.

તેમણે ભાવિ પ્રધાનમંત્રીને અપીલ કરી કે તે સીમ્રાંધમાં નવી રાજધાની બનાવવા માટે ઉદારતાથી ધન પુરી પાડે જેમ કે આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમમાં વાયદો કરવામાં આવ્યો છે. વાઇએસઆર કોંગ્રેસના મુખ્ય વિરોધી દળ ટીડીપી આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભાજપના ચૂંટણી પૂર્વ સહયોગી છે અને તે એનડીએનો ભાગ છે.
-
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
