Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોદીને બદલે ભાજપનો આ નેતા રાહુલ ગાંધી જોડે કરશે ડિબેટ?

Lok sabha Election 2024: ભાજપ દ્વારા સોમવારના રોજ તેના યુવા મોરચાના ઉપાધ્યક્ષ અભિનવ પ્રકાશને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે જાહેર ચર્ચા માટે નિયુક્ત કર્યા છે. ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાએ રાહુલ ગાંધીને સંબોધીને લખેલા પત્રમાં લખ્યું છે કે, આ રાજકીય પરિવારના વંશજ અને સામાન્ય યુવાનો વચ્ચેની સમૃદ્ધ ચર્ચા હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના બે પૂર્વ ન્યાયાધીશો જસ્ટિસ મદન બી લોકુર અને જસ્ટિસ એપી શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને જાહેર ચર્ચાનો સામનો કરવા આમંત્રણ આપ્યું હતું. લોકસભા ચૂંટણીના મુદ્દાઓ સાથેના આ પત્ર પર વરિષ્ઠ પત્રકાર એન રામે પણ સહી કરી હતી.

જાહેર ચર્ચા માટેના આમંત્રણનો સ્વીકાર કરતી વખતે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશને આશા છે કે વડાપ્રધાન તેમાં ભાગ લેશે. જોકે, ભાજપે ચર્ચાનું આમંત્રણ નકારી કાઢ્યું હતું કે, કોંગ્રેસમાં પણ રાહુલ ગાંધીની કોઈ વિશ્વસનીયતા નથી અને તેથી, વડાપ્રધાન પાસે તેમની સાથે ચર્ચા કરવાનું કોઈ કારણ નથી.

Lok sabha Election 2024

તેજસ્વી સૂર્યાએ પોતાના પત્રમાં લખ્યું કે, પ્રિય રાહુલ ગાંધીજી, BJYM એ તમારી સાથે ચર્ચા માટે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અભિનવ પ્રકાશને તેના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા છે.

સૂર્યાએ આગળ લખ્યું કે, અમે તમારી મંજૂરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, જેનાથી આઝાદી પછીના સૌથી લાંબા સમય સુધી ભારત પર શાસન કરનાર રાજકીય પરિવાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ન્યૂ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરતા એક સામાન્ય યુવા વચ્ચે એક ઐતિહાસિક ચર્ચા માટેનું એક મંચ ઊભું થાય છે.

બેંગ્લોર દક્ષિણ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તેજસ્વી સૂર્યાએ પણ તેમના પત્રમાં જણાવ્યું હતું કે, અભિનવ પ્રકાશ એક યુવાન અને શિક્ષિત નેતા છે, જે પાસી (SC) સમુદાયમાંથી આવે છે. રાયબરેલીમાં આ સમુદાયની સંખ્યા લગભગ 30 ટકા છે. દરમિયાન, અભિનવ પ્રકાશે X પર લખ્યું કે, તેમને આશા છે કે, રાહુલ ગાંધી તેમની સાથે ચર્ચા કરવા તૈયાર થશે.

અભિનવ પ્રકાશે તેની X પોસ્ટમાં લખ્યું કે, મને નોમિનેટ કરવા બદલ તેજસ્વી સૂર્યાનો આભાર. મને આશા છે કે, રાહુલ ગાંધી મારી સાથે ચર્ચા કરવા સંમત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકશાહી હોય, બંધારણ હોય, શાસન હોય કે રોજગાર, આ તમામ મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા થવી જોઈએ.

રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સાથેની ચર્ચા માટેનું આમંત્રણ સ્વીકાર્યા બાદ તરત જ સૂર્યાએ કહ્યું હતું કે, તેઓ ન તો કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ છે કે, ન તો INDI ગઠબંધન તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર છે. તેથી, વડાપ્રધાન મોદી તેમની સાથે ચર્ચા કરે તેવું કોઈ કારણ નથી. તેજસ્વી સૂર્યાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી સાથે ચર્ચા માટે બીજેવાયએમનો એક જ પ્રવક્તા પૂરતો છે.

ભારતીય જનતા નેતાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી કોણ છે, જેની સાથે વડાપ્રધાન મોદીએ ચર્ચા કરવી જોઈએ? રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર પણ નથી, INDI ગઠબંધનની વાત તો છોડો. પહેલા તેમને પોતાને કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા દો, જણાવો કે તેઓ તેમની પાર્ટીની હાર માટે જવાબદારી લેશે અને પછી વડાપ્રધાનને ચર્ચા માટે આમંત્રિત કરશે.

સૂર્યાએ કહ્યું હતું કે, બીજેવાયએમનો કોઈપણ પ્રવક્તા તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, રાહુલ ગાંધીએ વડાપ્રધાન સાથે ચર્ચાનું આમંત્રણ સ્વીકાર્યાને એક દિવસ વીતી ગયો છે, પરંતુ 56 ઇંચની છાતી ધરાવતા લોકો હજુ સુધી આમંત્રણ સ્વીકારવાની હિંમત એકત્ર કરી શક્યા નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X