For Quick Alerts
For Daily Alerts
રાહુલ ગાંધી જ્યારે PM બનવા ઇચ્છે ત્યારે તેમનું સ્વાગત છેઃ મનમોહન
નવી દિલ્હી, 5 એપ્રિલઃ કોંગ્રેસના પ્રધાનમંત્રી પદના ઉમેદવારને લઇને ઘમાસાન મચેલું છે. આ ક્રમમાં પ્રધાનમંત્રી મનમોહન સિંહે તેમના ત્રીજા કાર્યકાળની તેમની દાવેદારીના પ્રશ્નને કાલ્પનિક ગણાવ્યું છે અને કહ્યું છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જે દિવસે પ્રધાનમંત્રી બનવા ઇચ્છે ત્યારે તેમનું સ્વાગત છે. જો કે, પ્રધાનમંત્રી મનમોહન સિંહએ પોતાની દાવેદારી પર ના તો હાં કહ્યું છે કે પછી ના પાડી છે. મનમોહન સિંહે કહ્યું કે તેમની દાવેદારી કાલ્પનિક વાતો છે. તે એને સ્વિકાર પણ નથી કરતા અને ઇન્કાર પણ નથી કરતા કારણ કે આ એક બિનજરૂરી ચર્ચા છે.
નોંધનીય છે કે મનમોહન સિંહ આજે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર પ્રદાન કરવા માટે આયોજિત એક સમારોહમાં ઉપસ્થિત હતા. મીડિયા સાથે વાતચીતમાં મનમોહન સિંહે કહ્યું કે સીઆઇઆઇમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું ભાષણ શાનદાર હતું.
Comments
English summary
Prime Minister Manmohan Singh on Friday said that he would welcome Rahul Gandhi as PM anyday.
Story first published: Friday, April 5, 2013, 16:13 [IST]