For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી જ્યારે PM બનવા ઇચ્છે ત્યારે તેમનું સ્વાગત છેઃ મનમોહન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 એપ્રિલઃ કોંગ્રેસના પ્રધાનમંત્રી પદના ઉમેદવારને લઇને ઘમાસાન મચેલું છે. આ ક્રમમાં પ્રધાનમંત્રી મનમોહન સિંહે તેમના ત્રીજા કાર્યકાળની તેમની દાવેદારીના પ્રશ્નને કાલ્પનિક ગણાવ્યું છે અને કહ્યું છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જે દિવસે પ્રધાનમંત્રી બનવા ઇચ્છે ત્યારે તેમનું સ્વાગત છે. જો કે, પ્રધાનમંત્રી મનમોહન સિંહએ પોતાની દાવેદારી પર ના તો હાં કહ્યું છે કે પછી ના પાડી છે. મનમોહન સિંહે કહ્યું કે તેમની દાવેદારી કાલ્પનિક વાતો છે. તે એને સ્વિકાર પણ નથી કરતા અને ઇન્કાર પણ નથી કરતા કારણ કે આ એક બિનજરૂરી ચર્ચા છે.

નોંધનીય છે કે મનમોહન સિંહ આજે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર પ્રદાન કરવા માટે આયોજિત એક સમારોહમાં ઉપસ્થિત હતા. મીડિયા સાથે વાતચીતમાં મનમોહન સિંહે કહ્યું કે સીઆઇઆઇમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું ભાષણ શાનદાર હતું.

manmohan-singh
મનમોહન સિંહે કહ્યું કે કોંગ્રેસમાં બે પાવર સેન્ટરની ચર્ચા બેકાર છે. તેમણે આ માટે મીડિયાને જવાબદાર ઠેરવ્યું છે અને કહ્યું કે સત્તાના બે કેન્દ્રોની વાત માત્ર મીડિયાની દેણ છે. પ્રધાનમંત્રી પદના દાવદેર પર પ્રશ્ન પૂછવામાં આવતા મનમોહન સિંહે કહ્યું કે તેમની સમજ અનુસાર કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એક સારા પ્રધાનમંત્રી સાબિત થશે અને તેઓ કોઇ પણ દિવસે પ્રધાનમંત્રી તરીકે સ્વિકાર્ય છે.

English summary
Prime Minister Manmohan Singh on Friday said that he would welcome Rahul Gandhi as PM anyday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X