Winter session round up : જાણો શિળાયું સત્રના પંદરમા દિવસે સંસદમાં શું શું થયું?
સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો હતો, આ દરમિયાન વિપક્ષી નેતાઓએ ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના રાજીનામાની માગ સાથે હોબાળો મચાવ્યો હતો.
Winter session round up : સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો હતો, આ દરમિયાન વિપક્ષી નેતાઓએ ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના રાજીનામાની માગ સાથે હોબાળો મચાવ્યો હતો. આવા સમયે રાજ્યસભાના 12 સસ્પેન્ડેડ સાંસદોએ જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ અને મર્જરની યોજના સામે સંસદ પરિસરની બહાર વિરોધ કર્યો હતો.
આ દરમિયાન રાજ્યસભામાં વિપક્ષે પણ 12 સાંસદોને સસ્પેન્ડ કરવાનો વિરોધ કર્યો હતો અને આદેશને રદ્દ કરવાની માગ યથાવત રાખી હતી.
શુક્રવારના રોજ ગૃહના ટેબલ પર મૂકવામાં આવ્યા બાદ તરત જ રાજ્યસભાની કાર્યવાહી દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી, અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ સરકાર અને વિપક્ષને સાંસદોના સસ્પેન્શનના મુદ્દા પર સર્વસંમતિ બનાવવા વિનંતી કરી હતી.
આવા સમયે સ્પીકર વેંકૈયા નાયડુએ કહ્યું કે, તેઓ ગૃહના નેતા પીયૂષ ગોયલ અને વિપક્ષના કેટલાક વરિષ્ઠ સભ્યોને મળ્યા છે અને તેમને ચર્ચા કરવા કહ્યું છે.
રાજ્યસભાના વડાએ કહ્યું, કે 'આજે મેં ગૃહના નેતા અને વિપક્ષના કેટલાક વરિષ્ઠ સભ્યોને સંબોધિત કર્યા છે. સભ્યો સાથે વાત કરી હતી. હું તમને દરેકને અપીલ કરવા માંગુ છું કે, ગૃહ સામાન્ય રીતે ચાલી રહ્યું છે, તે જોવા માટે કૃપા કરીને અમુક પ્રકારની સર્વસંમતિ પર પહોંચો.
પરસ્પર ચર્ચાને સરળ બનાવવા માટે, હું સોમવારની બેઠક માટે ગૃહને સ્થગિત કરી રહ્યો છું, અધ્યક્ષે દિવસની બેઠકની મિનિટમાં જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વિપક્ષ છેલ્લા ઘણા દિવસોથી ગૃહની કાર્યવાહી ખોરવી રહ્યો છે. 12 સાંસદોના સસ્પેન્શનના મુદ્દે ઉપલા ગૃહમાં મડાગાંઠ ચાલુ છે અને વિપક્ષી સભ્યો દ્વારા તેમના સસ્પેન્શનને પાછું ખેંચવાની માગ કરી રહેલા વિરોધને કારણે ગૃહની કામગીરીને અસર થઈ છે.