કબરમાં લાશ દફન કરી, સવારે જોયું તો હોશ ઉડી ગયા
ગ્રેટર નોઈડાના ઉંચા અમીરપુર ગામમાં એક વૃદ્ધ મહિલાની લાશ કબરની બહાર મળવાથી સનસની ફેલાઈ ચુકી છે. લોકોને જયારે તેના વિશે માહિતી મળી ત્યારે તેમને હંગામો કરી દીધો. સૂચના મળતા જ ત્યાં પહોંચેલી પોલીસે લાશને પોતાના કબ્જામાં લઈને ફરીથી સમ્માન સાથે તેની દફનવિધિ કરાવી. આ મામલે પોલીસે ફરિયાદના આધારે અજ્ઞાત લોકો વિરુદ્ધ કેસ નોંધીને જાંચ કરવાની શરુ કરી દીધી છે. ચર્ચા થઇ રહી છે કે ગામનો માહોલ ખરાબ કરવાની નિયતથી અસામાજિક તત્વોએ આવું કામ કર્યું છે.
બીમારીને કારણે મહિલાની મૌત થઇ હતી
મળતી જાણકારી અનુસાર ઉંચા અમીરપુર ગામની રહેવાસી રહીસનની સોમવારે મૌત થઇ ગઈ. તેની મૌત પછી પરિજનોએ બધા જ રીતિરીવાજો સાથે રહીસનની લાશને કબરમાં દફન કરી. રહીસનની મૌત બીમારીને કારણે થઇ હતી. મંગળવારે ગામમાં તે સમયે સનસની મચી જયારે રહીસનની લાશ કબરની બહાર પડી હતી. મંગળવારે સવારે જયારે ગામના કેટલાક લોકો કબ્રસ્તારની પાસેથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે તેમની નજર કબરની બહાર પહેલી લાશ પર પડી. ગ્રામીણોએ તેને લઈને હંગામો કર્યો.
અજ્ઞાત લોકો સામે કેસ દાખલ
સૂચના મળતા જ પોલીસ જગ્યા પર પહોંચી. પોલીસે જગ્યા પર પહોંચીને હંગામો કરતા લોકોને શાંત કર્યા. એસપી ગ્રેટર નોઈડા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જારચા ચોકી અંતર્ગત ઉંચા હમીરપુર ગામમાં એક 70 વર્ષની મહિલાની લાશ કબરમાંથી બહાર કાઢવામાં આવી. આ મામલે પોલીસે ફરિયાદના આધારે અજ્ઞાત લોકો વિરુદ્ધ કેસ નોંધીને જાંચ કરવાની શરુ કરી દીધી છે. પોલીસે પોતાની દેખરેખ હેઠળ મહિલાની લાશને સમ્માન સાથે ફરી દફન કરાવી. સીઓ ગ્રેટર નોઈડા એકે શ્રીવાસ્તવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કેસ નોંધીને આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે.