જયલલિતાની ઠાકરે સ્ટાઇલઃ શ્રીલંકન ખેલાડીને નહીં રમવા દેવાય IPLમાં

તેમણે કહ્યું,'શ્રીલંકન સરકારની કાર્યવાહીઓથી તામિળનાડુમાં વઘતા રોષને જોઇને તામિળનાડુ સરકારનું માનવું છે કે શ્રીલંકાના ખેલાડી, અમ્પાયર અને અન્ય અધિકારી આઇપીએલની જે મેચોમાં સામેલ હશે તે તામિળનાડુમાં નહીં રમવા દેવામાં આવે.
પ્રધાનમંત્રી મનમોહન સિંહને લખેલા પત્રમાં જયલલિતાએ કહ્યું કે કેન્દ્ર સરકાર બીસીસીઆઇને સલાહ આપી શકે છે કે આઇપીએલના આયોજક રાજ્યમાં થનારી મેચોમાંથી શ્રીલંકન ખેલાડી, અમ્પાયર, અધિકારી અને સહાયક કર્મચારીઓને દૂર રાખે.
તેમણે કહ્યું, ' તામિળનાડુની સરકાર રાજ્યમાં માત્ર એ જ આઇપીએલ મેચોને અનુમતિ આપશે જેમાં આયોજન હલફનામું આપે કે શ્રીલંકના શ્રીલંકન ખેલાડી, અમ્પાયર, અધિકારી કે સમર્થન આપનારા કર્મચારીઓ આ મેચમાં ભાગ નહીં લે.' જયલલિતાએ કહ્યું કે યુએનએચઆરસીમાં તાજેતરમાં થયેલી ચર્ચા દરમિયાન જાણવા મળ્યું છે કે શ્રીલંકન તામિળો મુદ્દે રાજ્યમાં ઘણો રોષ છે.
મુખ્યમંત્રીએ કહ્યું, ' તેવામાં ગરમી પકડેલા માહોલમાં ત્રણ એપ્રિલથી ચેન્નાઇ સહિત ઘણા સ્થાનો પર આઇપીએલ ક્રિકેટ મેચ થવાની છે અને આ મેચ 26 માર્ચ સુધી ચાલશે.' તેમણે કહ્યું કે, ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી લગભગ તમામ ટીમોમાં શ્રીલંકાના ક્રિકેટ ખેલાડી સામેલ છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
