વિશ્વ પર્યાવરણ દિવસઃ દુનિયાભરમાં કેટલા બચ્યા છે વૃક્ષો, કેટલા કપાય છે દર વર્ષે?
World Environment Day: સમગ્ર વિશ્વ આજે પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યુ છે. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ પ્રકૃતિના નામે છે, જેની પાછળનો હેતુ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.
વિશ્વની વસ્તી વધી રહી છે અને ગાઢ જંગલો સંકોચાઈ રહ્યા છે. જ્યારે સમગ્ર માનવજાત પ્રકૃતિ પર નિર્ભર છે ત્યારે તેની અસર જીવન પર પડવાની જ છે. જીવવા માટે આપણને હવા, પાણી અને ખોરાકની જરૂર છે, જે આપણને પર્યાવરણમાંથી મળે છે. વૃક્ષો વિના તેની કલ્પના પણ શક્ય નથી. આજે વિશ્વ પર્યાવરણ દિવસે જાણીએ કે દુનિયામાં કેટલા વૃક્ષો છે.

વિશ્વ ગ્લોબલ વોર્મિંગ અને વનનાબૂદીની વિનાશક અસરોનો સામનો કરી રહ્યું છે પરંતુ લોકોનું ધ્યાન ક્યારેય વૃક્ષો તરફ ગયુ નથી. વિશ્વભરમાં માનવ વસાહતો વધવાની સાથે, રહેણાંક વિસ્તારોનો વિસ્તાર સતત વધી રહ્યો છે, જેના કારણે જંગલોનો ફેલાવો ઘટી રહ્યો છે.
જેના કારણે માત્ર જંગલ વિસ્તારોનું જ શોષણ થતું નથી પરંતુ જંગલોમાં રહેતા વન્ય પ્રાણીઓ પણ તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. આ દરમિયાન વૈશ્વિક સ્તરે 3.04 ટ્રિલિયન (30 ટ્રિલિયન 40 અબજ) વૃક્ષો હોવાનો અંદાજ છે. નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. આનો અર્થ એ છે કે પૃથ્વી પર દરેક વ્યક્તિ માટે અંદાજે 422 વૃક્ષો છે.
આ દરમિયાન વનનાબૂદીના આપણા વર્તમાન દર તેમજ મોટાપાયે વૃક્ષારોપણની પહેલ સાથે આ સંખ્યા આગામી દાયકાઓમાં સ્થિર થવાની અપેક્ષા છે. એક પ્રશ્ન એ પણ છે કે પહેલા કેટલા વૃક્ષો હતા?
માનવ સંસ્કૃતિના ઉદય પહેલા, મોટાભાગના ઇતિહાસકારોનો અંદાજ છે કે લગભગ 6 અબજ હેક્ટર જમીન પર વિશ્વના જંગલોનો કબજો હતો. આજે આનો માત્ર એક અંશ જ બચ્યો છે, વિશ્વનું વન આવરણ ઘટીને લગભગ 3 અબજ હેક્ટર થઈ ગયુ છે. એવો અંદાજ છે કે તે સમયે લગભગ 6 ટ્રિલિયન વૃક્ષો હતા, એટલે કે આજે છે તેનાથી લગભગ બમણા વૃક્ષો, હરિયાળીનો નાશ થઈ ચૂક્યો છે.
લેટેસ્ટ નેચર જર્નલમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ નુકસાન માટે કૃષિ અને આધુનિક માળખાકીય વિકાસને સંપૂર્ણપણે જવાબદાર ગણી શકાય. સમગ્ર વિશ્વમાં દર વર્ષે લગભગ 10 અબજ વૃક્ષો કાપવામાં આવે છે. હાલમાં સમગ્ર વિશ્વમાં સરકારોએ વિવિધ વૃક્ષ સંરક્ષણ કાર્યક્રમો શરૂ કર્યા છે, જે ઉપલબ્ધ વન સંસાધનોને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. યુએસમાં રાષ્ટ્રીય જંગલોની રચના, જેમ કે અલાસ્કામાં બે રાષ્ટ્રીય જંગલોએ પણ વનનાબૂદી ઘટાડવામાં મદદ કરી છે.
વિશ્વના લગભગ 50 ટકા જંગલ વિસ્તાર રશિયા, કેનેડા, બ્રાઝિલ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન સહિતના 5 સૌથી મોટા દેશો પાસે છે, જ્યારે લગભગ બે તૃતીયાંશ જંગલ વિસ્તાર 10 દેશો પાસે આવે છે. જેમાં કાંગો લોકતાંત્રિક ગણરાજ્ય, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, પેરુ અને ભારત જેવા કેટલાક દેશોના નામ છે. વળી, આડેધડ વનનાબૂદી ઉપરાંત, જંગલમાં આગ જેવી ઘટનાઓ પણ વિશ્વમાં કુલ વૃક્ષોની સંખ્યાને અસર કરી રહી છે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન












Click it and Unblock the Notifications
