Wrestler Protest: પહેલવાનોના સમર્થનમાં આજે મહાપંચાયત, અનુરાગ ઠાકુરે પોલીસ તપાસ પર ભરોસો રાખવા કહ્યુ
Wrestler Protest: રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ પહેલવાનો છેલ્લા ઘણા દિવસોથી કરી રહ્યા છે. દિલ્હી પોલીસે પહેલવાનો સામે જે રીતે કાર્યવાહી કરી તેનાથી વ્યથિત કુસ્તીબાજો ગંગામાં મેડલ પધરાવી દેવા હરિદ્વાર પણ પહોંચ્યા હતા.
આ દરમિયાન, આરોગ્યમંત્રી અનુરાગ ઠાકુરે કુસ્તીબાજોને દિલ્હી પોલીસની તપાસ પર વિશ્વાસ રાખવા અને ચુકાદો ન આવે ત્યાં સુધી ધીરજ રાખવાની અપીલ કરી છે.

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે મંગળવારે કુસ્તીબાજોને ગંગામાં મેડલ પધરાવતા અટકાવ્યા હતા અને તેમણે કુસ્તીબાજોને 5 દિવસનો સમય આપવા કહ્યુ. આજે તેમણે મુઝફ્ફરનગર સ્થિત સૌરમ ગામમાં ખાપની પંચાયત બોલાવી છે.
નરેશ ટિકૈતે કહ્યું કે આ મહાપંચાયતમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબના 30-35 ખાપ નેતાઓ ભાગ લઈ શકે છે. નરેશ ટિકૈતના આ પગલાથી પશ્ચિમ યુપીના ભાજપના નેતાઓમાં નારાજગી હોવાનું માનવામાં આવે છે. તેમને ડર છે કે આનાથી રાજ્યમાં પ્રદર્શનમાં વધારો થઈ શકે છે, જે વિરોધ અત્યાર સુધી દિલ્હી અને હરિયાણા પૂરતો મર્યાદિત હતો.
નરેશ ટિકૈતે કહ્યું કે અમારી એક જ માંગ છે કે બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે. તે પછી જ અમે અન્ય મુદ્દાઓ વિશે વાત કરીશું. નોંધનીય છે કે બ્રિજ ભૂષણ શરણ સિંહ પર મહિલા રેસલર્સ સાથે યૌન શોષણનો આરોપ છે.
દિલ્હી પોલીસે 28 એપ્રિલે નોંધેલી બે એફઆઈઆરમાં તેનું નામ પણ છે. આ સાથે POCSO એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. એક સગીર મહિલા રેસલર સાથે યૌન શોષણનો આરોપ પણ છે.
બ્રિજ ભૂષણ શરણ સિંહે ફરી એકવાર તેમના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે અને તેને ખોટા ગણાવ્યા છે. તેણે કહ્યું કે હું ફરીથી કહી રહ્યો છું કે જો મારા પર એક પણ આરોપ સાબિત થશે તો હું મારી ગળે ફાંસો ખાઈ લઈશ. જો તમારી પાસે પુરાવા હોય તો કોર્ટમાં આપો, જો કોર્ટ મને ફાંસી આપશે તો હું સ્વીકારીશ.












Click it and Unblock the Notifications
