લેખક અને કવિ મંગલેશ ડબરાલનું કાર્ડિયક અરેસ્ટને કારણે નિધન
સાહિત્ય એકેડેમી એવોર્ડ વિજેતા, જાણીતા હિન્દી લેખક અને કવિ મંગલેશ ડબરાલનું બુધવારે નિધન થયું છે. તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. તેમને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો, ત્યારબાદ તેમને ગાઝિયાબાદના વસુ
સાહિત્ય એકેડેમી એવોર્ડ વિજેતા, જાણીતા હિન્દી લેખક અને કવિ મંગલેશ ડબરાલનું બુધવારે નિધન થયું છે. તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. તેમને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો, ત્યારબાદ તેમને ગાઝિયાબાદના વસુંધરાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી તેની હાલત નાજુક હતી. બાદમાં તેની હાલત વધુ ખરાબ થતાં તેને એઈમ્સમાં દાખલ કરાયા હતા. તેમણે એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા.
કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી તેની સ્થિતિ નાજુક બની હતી. તેને સારવાર માટે એઈમ્સમાં દાખલ કરાયા હતા. ચેપ પુષ્ટિ થયા બાદ તેની હાલત નાજુક હતી. તેંમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જે બાદ તેમને વેન્ટિલેટર પર હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે તેમને હાર્ટ એટેક આવ્યો ત્યારે જ તેમને ડાયાલિસિસ માટે લઇ જવામાં આવ્યા હતા.
મંગલેશ ડાબરલની પાંચ કવિતાઓ પ્રકાશિત થઈ છે. તેમના નામ - પહાડ પર લાલટેન, ઘર કા રાસ્તા, હમ જો દેખતે હૈ, આવાઝ ભી એક જગહ હૈ અને નયે યુગમે શત્રુ છે. આ ઉપરાંત તેમના બે ગદ્ય સંગ્રહ- લેખક કી રોટી અને કવિ કા અકેલાપન પણ પ્રકાશિત થઈ છે.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિને મળ્યા વિપક્ષના નેતા, કૃષિ કાયદાને પાછો લેવા કરી માંગ