રાષ્ટ્રપતિને મળ્યા વિપક્ષના નેતા, કૃષિ કાયદાને પાછો લેવા કરી માંગ
વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર દ્વારા લાવેલા નવા કૃષિ કાયદાઓને લઈને આજે (9 ડિસેમ્બર) રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળ્યા છે. આ કાયદાઓને લઈને ભારે વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિને મળ્યા બાદ વિપક્ષી નેતાઓએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિને મ
વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર દ્વારા લાવેલા નવા કૃષિ કાયદાઓને લઈને આજે (9 ડિસેમ્બર) રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળ્યા છે. આ કાયદાઓને લઈને ભારે વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિને મળ્યા બાદ વિપક્ષી નેતાઓએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિને મળ્યા છીએ અને તેમને પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા છે અને નવા કૃષિ કાયદાઓ પાછા લેવાની માંગ કરી છે. રાષ્ટ્રપતિને મળેલા વિપક્ષી નેતાઓના પ્રતિનિધિ મંડળમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, એનસીપીના પ્રમુખ શરદ પવાર, સીપીઆઈ (એમ) ના મહાસચિવ સીતારામ યેચુરી સહિત પાંચ નેતાઓ શામેલ છે.
રાષ્ટ્રપતિને મળ્યા બાદ સીતારામ યેચુરીએ કહ્યું કે, અમે રાષ્ટ્રપતિને એક મેમોરેન્ડમ આપ્યું છે. અમે તેમની પાસે કૃષિ કાયદા અને વીજળી સુધારણા બિલને રદ કરવાની માંગ કરી છે જે યોગ્ય વિચાર-વિમર્શ અને સલાહ વિના અલોકશાહી રીતે પસાર કરવામાં આવી હતી. યેચુરીએ કહ્યું કે 25 થી વધુ વિરોધી પક્ષો આ કાયદાઓને પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોની વિરુદ્ધ હોવા સાથે સાથે અન્ન સુરક્ષા માટે પણ મોટો ખતરો ઉભો કરે છે. એનસીપીના શરદ પવારે કહ્યું કે વિરોધી પક્ષોએ ખેડૂતોને લગતા આ કાયદા અંગે ચર્ચાની માંગ કરી હતી પરંતુ તેમને સાંભળવામાં આવ્યા નહી. જલ્દબાઝીમાં કેને પસાર કરવામાં આવ્યો છે. હવે ખેડુતો રસ્તાઓ પર ઉતર્યા છે, ત્યારે સરકારે તેમની વાત સાંભળવી જોઈએ.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિને મળ્યા બાદ કહ્યું કે, કૃષિ કાયદો ખેડૂત વિરોધી છે. વડા પ્રધાન કહે છે કે આ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે, તો પછી શા માટે ખેડુતો રસ્તા પર ઉભા છે? સરકારે એવું ન વિચારવું જોઇએ કે ખેડુતો ડરી જશે. જ્યાસુધી કાયદો પાછો ન ખેંચાય ત્યા સુધી, ખેડૂત ડરશે નહીં. હું ખેડુતોને કહું છું કે જો તમે આજે ઉભા નહીં થાઓ તો તમે ક્યારેય ઉભા રહી શકશો નહીં અને અમે બધા તમારી સાથે છીએ, ગભરાશો નહીં. કોઈ તમને પાછું નહીં ખસેડી શકે, તમે હિન્દુસ્તાન છો.
આ પણ વાંચો: ખેડૂત આંદોલન: આંદોલનને કરાશે તેજ, 14 ડિસેમ્બરે દેશભરમાં કરાશે પ્રદર્શન, 12 તારીખે કરાશે હાઇવે જામ