ખેડૂત આંદોલન: આંદોલનને કરાશે તેજ, 14 ડિસેમ્બરે દેશભરમાં કરાશે પ્રદર્શન, 12 તારીખે કરાશે હાઇવે જામ
દિલ્હી બોર્ડર પર ખેડુતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. ખેડુતો કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે, પરંતુ ખેડુતો અને સરકાર વચ્ચે કોઈ સમજૂતી થઇ શકી નથી. મોદી સરકાર અને ખેડુતો વચ્ચેની તમામ વાટાઘાટો કૃષિ કાયદામાં સુધારાને
દિલ્હી બોર્ડર પર ખેડુતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. ખેડુતો કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે, પરંતુ ખેડુતો અને સરકાર વચ્ચે કોઈ સમજૂતી થઇ શકી નથી. મોદી સરકાર અને ખેડુતો વચ્ચેની તમામ વાટાઘાટો કૃષિ કાયદામાં સુધારાને લઈને નિષ્ફળ ગઈ છે. ખેડુતો આ કાયદાને સંપૂર્ણ રીતે રદ કરવા માગે છે.
મોદી સરકાર ખેડૂતોને સમજાવવામાં વ્યસ્ત છે, પરંતુ હવે ખેડૂતોએ તેમના આંદોલનને તેજ કરવાની વાત કરી છે. ખેડૂતોએ સરકારની દરખાસ્તોને ફગાવી દીધી છે અને તેમનુ પ્રદર્શન તેજ કરવાનુ જણાવ્યું છે. આજે ખેડુતોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમને મળેલ પ્રસ્તાવને અમે સંપૂર્ણપણે નકારીએ છીએ. તે જ સમયે, તેમણે હવે દેશભરમાં પ્રદર્શનની વાત કરી છે.
આંદોલનકારી ખેડુતોએ કહ્યું છે કે તેઓએ સરકારના પ્રસ્તાવને નકાર્યો છે. તેમણે કહ્યું કે 12 ડિસેમ્બરે તેઓ દિલ્હી-આગ્રા, દિલ્હી-જયપુર હાઇવે જામ કરશે. દેશભરમાં ખેડૂત આંદોલન તેજ કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે અદાણી-અંબાણી મોલ્સનો બહિષ્કાર કરીશું. 14મીએ દેશવ્યાપી પ્રદર્શન થશે. દેશભરમાં જિલ્લા મુખ્યાલયનો ઘેરાવો કરવામા આવશે. 12 ડિસેમ્બરે દેશભરના ટોલ પ્લાઝા જામ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે હાઈવેને પહેલા પણ જામ કરી શકાય છે, નહીંતર 12 ડિસેમ્બરે તેઓ તેને જામ કરશે. આંદોલનકારી ખેડૂત નેતા શિવકુમાર કક્કાએ કહ્યું હતું કે જો સરકાર ત્રણેય કાયદાને રદ નહીં કરે તો અમે એક પછી એક દિલ્હીના રસ્તાઓ જામ કરીશું. ખેડુતોએ કહ્યું કે તેઓ સિંધુ સરહદ પાર કરીને દિલ્હીમાં પ્રવેશવાનો નિર્ણય પણ લઈ શકે છે.
આ પણ વાંચો: Farmers protest: સરકારના છઠ્ઠા દોરની વાતચીત રદ, સાંજે 4-5 વાગ્યા સુધી થઈ શકે મોટો નિર્ણય