Year ender 2025 : ભારતીય રાજનીતિના એ દિગ્ગજો જે 2025માં આ ફાની દુનિયાને અલવિદા કહી ગયા
Year ender 2025 : વર્ષ 2025 ભારત માટે રાજકીય દૃષ્ટિએ ખૂબ જ ઉતાર-ચઢાવ વાળું રહ્યું છે. આ વર્ષે દેશે કેટલાક એવા દિગ્ગજ નેતાઓને ગુમાવ્યા છે જેમણે દાયકાઓ સુધી ભારતીય લોકશાહી અને જનતાની સેવા કરી હતી.
ખાસ કરીને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અચાનક નિધને સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો હતો.

વિજય રૂપાણી : પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ CMનું નિધન
વર્ષ 2025ની સૌથી દુઃખદ ઘટનાઓમાંની એક અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ હતી. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. તેઓ લંડન જઈ રહ્યા હતા ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી ટેક-ઓફ કર્યાની ગણતરીની મિનિટોમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. વિજય રૂપાણી તેમની સાદગી અને મૃદુ સ્વભાવ માટે જાણીતા હતા.
શિબુ સોરેન : ઝારખંડના દિશુમ ગુરુની વિદાય
ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના સ્થાપક અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું પણ આ વર્ષે અવસાન થયું. આદિવાસી સમાજના મોટા નેતા ગણાતા સોરેને અલગ ઝારખંડ રાજ્યની ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના નિધન સાથે જ ઝારખંડની રાજનીતિના એક યુગનો અંત આવ્યો છે.
સત્યપાલ મલિક: બેબાક અવાજ શાંત થયો
જમ્મુ-કાશ્મીર સહિત ઘણા રાજ્યોના રાજ્યપાલ રહી ચૂકેલા સત્યપાલ મલિકનું લાંબી માંદગી બાદ વર્ષ 2025માં નિધન થયું. તેઓ હંમેશા તેમના બેબાક નિવેદનો અને ખેડૂતોના સમર્થન માટે ચર્ચામાં રહ્યા હતા.
શિવરાજ પાટીલ : સંસદીય રાજનીતિના અનુભવી નેતા
પૂર્વ લોકસભા અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું પણ આ વર્ષે અવસાન થયું. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને સંસદીય પ્રક્રિયાઓના ઊંડા જાણકાર માનવામાં આવતા હતા.
વિજય કુમાર મલ્હોત્રા - વરિષ્ઠ ભાજપ નેતા વિદાય
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પ્રથમ પ્રદેશ અધ્યક્ષ વિજય કુમાર મલ્હોત્રાનું 30 સપ્ટેમ્બર 2025 ના રોજ દિલ્હીના એઈમ્સ ખાતે અવસાન થયું. તેઓ 93 વર્ષના હતા અને શરૂઆતના દિવસોથી જ પાર્ટી સાથે જોડાયેલા હતા. મલ્હોત્રાને દિલ્હી ભાજપનો એક મજબૂત ચહેરો માનવામાં આવતો હતો. તેઓ પાંચ વખત સાંસદ અને બે વખત ધારાસભ્ય રહ્યા હતા, અને 1999ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના મનમોહન સિંહને હરાવ્યા પછી તેઓ પ્રસિદ્ધિ પામ્યા હતા.
અન્ય રાજકીય નેતાઓ
આ યાદીમાં પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીઓના પણ નામ સામેલ છે. વર્ષ 2025માં ભારતે તેની રાજકીય વિરાસતના કેટલાક એવા હિસ્સા ગુમાવ્યા છે, જેમની ખોટ ક્યારેય પુરી શકાય તેમ નથી.
આ નેતાઓએ રચેલી રાજકીય રણનીતિઓ અને તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો આવનારી પેઢીઓ માટે હંમેશા યાદગાર રહેશે.












Click it and Unblock the Notifications
