YEIDA: વિકાસના દમ પર આ 55 ગામોનુ બદલાશે નસીબ, અહીં જાણો કારણ

YEIDA ઑથોરિટી હેઠળ 1242 ગામોનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેનો વિકાસ કરવામાં આવશે અને જેમ જેમ ઉદ્યોગો તેજી કરશે તેમ તેમ તેમનો આર્થિક વિકાસ થશે.

yeida

Yamuna Expressway Industrial Development Authority(YEIDA) ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઈરાદા મુજબ YEIDAના અધિકારીઓ વિકાસ માટે નવી સ્ક્રિપ્ટ લખવામાં વ્યસ્ત છે. જો ઈડાના અધિકારીઓનુ માનીએ તો બુલંદશહરના ખુર્જા અને સિકંદરાબાદ તાલુકાઓના 55 ગામોને પ્રાધિકરણની સીમામાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે આ ઑથોરિટી હેઠળ 1242 ગામોનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેનો વિકાસ કરવામાં આવશે અને જેમ જેમ ઉદ્યોગો તેજી કરશે તેમ તેમ તેમનો આર્થિક વિકાસ થશે.

પ્રાધિકરણની સીમાનો થયો વિસ્તાર

ઈડાના અધિકારીઓના જણાવ્યા અનુસાર,ઑઓથોરિટીનુ કાર્યક્ષેત્ર હવે દિલ્લી-હાવડા રેલવે લાઇન, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFC) અને ન્યૂ નોઈડા સુધી વિસ્તર્યુ છે. આ ગામોના સત્તામંડળમાં જોડાયા બાદ આ વિસ્તારમાં લૉજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ અને કાર્ગો હબનો વ્યાપ વધશે, જેનાથી આ ગામોને ફાયદો થશે. આ ગામોના ઑથોરિટીમાં જોડાવા અંગે યમુના ડેવલપમેન્ટ ઑથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અરુણવીર સિંહે જણાવ્યુ હતુ કે 2041ના માસ્ટર પ્લાનમાં તેનો સમાવેશ કરીને નવા નોટિફાઇડ વિસ્તારના વિકાસ માટે આયોજન કરવામાં આવશે.

આ વિસ્તારોમાં લાગશે ઉદ્યોગ ધંધા

અધિકારીઓનુ માનીએ તો ચોલાને નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી 16 કિમીના અંતરને જોડવા માટે નવી લાઈન બાંધવા માટે રેલવે મંત્રાલયને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. આ સાથે, માલસામાનની અવરજવરને વધુ સરળ બનાવવા માટે એરપોર્ટ પર કાર્ગો ટર્મિનલ પણ વિકસાવવામાં આવી રહ્યુ છે.

ઈડા તૈયાર કરી રહ્યુ છે વિકાસની રુપરેખા

YEIDAના સીઈઓ કહે છે કે ગ્રામીણ વિસ્તારો સુધી વિકાસની રૂપરેખા બનાવવા માટે યમુના ઑથોરિટી વિસ્તારમાં ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહર, અલીગઢ, હાથરસ, મથુરા અને આગ્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગૌતમ બુદ્ધ નગર અને બુલંદશહર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)નો ભાગ હોવા છતાં, અન્ય જિલ્લાઓને સત્તાના બીજા અને ત્રીજા તબક્કામાં સામેલ કરવામાં આવ્યા છે. બોર્ડરના વિસ્તરણ બાદ હવે ઑથોરિટી એરિયાને રેલવે સાથે જોડવામાં આવ્યો છે.

વિસ્તારમાં લાગશે ઔદ્યોગિક એકમો

અધિકારીઓએ જણાવ્યુ કે યમુના એક્સપ્રેસ વેમાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાથે જોડાયા બાદ તેની સીમા વૈર રેલવે સ્ટેશનની નજીક પહોંચી ગઈ છે. અરુણવીર સિંહનુ કહેવુ છે કે ઑથોરિટી નોટિફાઈડ એરિયામાં ઈન્ડસ્ટ્રીયલ, રેસિડેન્શિયલ, ઈન્સ્ટિટ્યૂશનલ અને કોમર્શિયલ વિસ્તારોનો વિકાસ કરશે. રેલવે અને એરપોર્ટ વચ્ચે હોવાને કારણે લૉજિસ્ટિક્સ અને વેરહાઉસિંગની તકોને કારણે પ્રદેશને પ્રાથમિકતા આપવામાં આવશે.

પ્રાધિકરણમાં શામેલ થવાથી બદલાશે 55 ગામોનુ નસીબ

આ વિસ્તારના વિકાસ બાદ અહીંના 55 ગામોનુ નસીબ બદલાશે કારણ કે આ વિસ્તારમાં આર્થિક અને પ્રવાસન અને વેપારને લગતી પ્રવૃત્તિઓને વેગ મળશે. રેલવે અને એરપોર્ટ વચ્ચે આ વિસ્તાર હોવાને કારણે રોકાણકારોને અહીં સારી કનેક્ટિવિટી મળશે, જેનાથી સ્થાનિક અર્થતંત્ર પણ મજબૂત બનશે. એકવાર આ વિસ્તારમાં ઉદ્યોગો સ્થપાશે તો વેપાર વધશે જે સ્થાનિક લોકો માટે મોટા પાયે રોજગારીની તકો ઉભી કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X