યોગી આદિત્યનાથે લીધી યુપીના CM પદની શપથ
ઉત્તર પ્રદેશમાં ભાજપને મળેલ ઐતિહાસિક જીત બાદ યોગી આદિત્યનાથે રવિવારે ઉત્તર પ્રદેશના 21મી મુખ્યમંત્રી તરીકે શપથ લીધી.
ઉત્તર પ્રદેશ માં ભાજપને મળેલ ઐતિહાસિક જીત બાદ યોગી આદિત્યનાથે રવિવારે ઉત્તર પ્રદેશના 21મી મુખ્યમંત્રી તરીકે શપથ લીધી. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે ઘણા કેન્દ્રિય મંત્રીઓ અને વિપક્ષ પાર્ટીના નેતા હાજર રહ્યાં હતા.

- 3.42 વાગે શપથ ગ્રહણ કાર્યક્રમ પૂર્ણ થયો.
- કોણ-કોણ બન્યું રાજ્યમંત્રી?
- સુરેશ પાસી(જગદીશપુર, અમેઠી - ધારાસભ્ય)
- સંદીપ સિંહ, પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના પૌત્ર
- મન્નુ કોરી મનોહર લાલ (મહરૌની, ઝાંસી - ધારાસભ્ય)
- બલદેવ સિંહ ઓલખ, ગિરીશ યાદવ, અતુલ ગર્ગ, રણવેન્દ્ર પ્રતાપ
- મોહસિન રઝા, ઉત્તર પ્રદેશ સરકારનો એકમાત્ર મુસ્લિમ ચહેરો
- નિલકંઠ તિવારી, જય કુમાર સિંહ, જય પ્રકાશ નિષાદ, ગુલાબ દેવી, સ્વાતિ સિંહ, અનિલ રાજભર
- અર્ચના પાંડે(છિબમરાઉ, કન્નૌજ - ધારાસભ્ય)
- ધર્મ સિંહ સૈની, સ્વતંત્ર દેવ સિંહ(સ્વતંત્ર પ્રભાર), ડૉ.મહેન્દ્ર કુમાર સિંહ, ઉપેન્દ્ર તિવારી(સ્વતંત્ર પ્રભાર), સુરેશ રાણા(સ્વતંત્ર પ્રભાર), અનુપમા જયસ્વાલ
- ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, તેઓ મૂળ મુરાદાબાદના રહેવાસી છે અને આ પહેલાં વિધઆન પરિષદના સભ્ય રહી ચૂક્યાં છે.
- કોણ-કોણ બન્યું કેબિનેટ મંત્રી?
- નંદ ગોપાલ નંદી, બસપાના પૂર્વ નેતા, આ વખતે ભાજપની ટિકિટ પર ઇલાહાબાદ દક્ષિણથી ચૂંટણી જીત્યા
- ગોપાલજી ટંડન, લાલજી ટંડનના પુત્ર
- મુકુટ બિહારી વર્મા, તેઓ કેસરગંજથી ભાજપના ધારાસભ્ય છે તથા આરએસએસનો જાણીતો ચહેરો છે.
- સિદ્ધાર્થ નાથ સિંહ, તેઓ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા છે. સિદ્ધાર્થ નાથ સિંહ લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર છે.
- રાજેન્દ્ર પ્રતાપ સિંહ(પટ્ટીથી ભાજપના ધારાસભ્ય), શ્રીકાંત શર્મા(પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા), ચેતન ચૌહાણ, લક્ષ્મી નારાયણ ચૌધરી
- બૃજેશ પાઠક, ચૂંટણી પહેલાં બસપા છોડી ભાજપ સાથે જોડાયા હતા.
- ઓમ પ્રકાશ રાજભર, જય પ્રતાપ સિંહ, રમાપતિ શાસ્ત્રી, સત્યદેવ ચૌધરી(ગોવિંદનગરથી ભાજપના ધારાસભ્ય)
- એસ.પી. સિંહ બઘેલ અને ધર્મપાલ સિંહ બન્યા કેબિનેટ મંત્રી.
- દારા સિંહ ચૌહાણ બન્યા કેબિનેટ મંત્રી, મઉની મધુબન બેઠકના ધારાસભ્ય.
- રીતા બહુગુણા જોશીએ લીધી કેબિનેટ મંત્રીની શપથ, ચૂંટણી પહેલાં તેઓ કોંગ્રેસ છોડી ભાજપ સાથે જોડાયા હતા.
- રાજેશ અગ્રવાલ, સતીશ મહાના બન્યા કેબિનેટ મંત્રી
- સ્વામી પ્રસાદ મૌર્યએ લીધી કેબિનેટ મંત્રીની શપથ, ચૂંટણી પહેલાં તેઓ બસપા છોડી ભાજપમાં જોડાયા હતા.
- સુરેશ ખન્ના અને સૂર્ય પ્રતાપ શાહીએ લીધી કેબિનેટ મંત્રીની શપથ
- ડૉ.દિનેશ શર્મા ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધી.

- યોગી આદિત્યનાથ બાદ કેશવ પ્રસાદ મૌર્યએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધી.
- યોગી આદિત્યનાથે યુપીના મુખ્યમંત્રી પદની શપથ લીધી.

- યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન
- અખિલેશ યાદવ સાથે અમિત શાહે કરી મુલાકાત
- અમિત શાહે વાંકા વળી મુલાયમ સિંહ યાદવનું અભિવાદન કર્યું
- શપથ ગ્રહણ કાર્યક્રમમાં પહોંચ્યા ભાજપ અધ્યક્ષ અમિત શાહ
- અખિલેશ યાદવ મુલાયમ સિંહ યાદવ માટે ખુરશી ખાલી કરી, બીજી તરફ બેઠા
- નારાયણ દત્ત તિવારી પહોંચ્યા શપથ ગ્રહણ કાર્યક્રમમાં
- યોગી આદિત્યનાથના શપથ ગ્રહણમાં પહોંચ્યા મુલાયમ સિંહ યાદવ, મંચ પર હાજર.
- એરપોર્ટ પર યોગી આદિત્યનાથ અને કેન્દ્રિય મંત્રીઓએ કર્યું પીએમ મોદીનું સ્વાગત

- ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ કાર્યક્રમમાં પહોંચ્યા.
- યોગી આદિત્યનાથ યુપીનો વિકાસ કરશેઃ નિતિન ગડકરી
- મુસ્લિમ સમુદાયના લોકો પર જોખમના સવાલના જવાબમાં ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ કહ્યું કે, કોઇ જોખમ નથી, તમે નિરાંતે રહો.
- યોગી આદિત્યનાથના બહેને કહ્યું કે, ગઇ કાલે અમે આ ખુશખબર સાંભળવા માટે આખો દિવસ ટીવી પર આંખ માંડી બેઠા હતા. ખબર આવ્યા બાદ તો ઘરમાં ઉજવણીનું વાતાવરણ છે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
