તમે દિલ્હી જેવા શહેરને ન સંભાળી શકો, શરદ પવારે અમિત શાહ પર નિશાન સાધ્યું!
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે શનિવારે (23 એપ્રિલ) દેશમાં સાંપ્રદાયિક તણાવ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગને લઈને ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
મુંબઈ, 24 એપ્રિલ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે શનિવારે (23 એપ્રિલ) દેશમાં સાંપ્રદાયિક તણાવ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગને લઈને ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. શરદ પવારે વિદેશી નેતાઓને "એકલા ગુજરાતમાં" આમંત્રિત કરવાના કેન્દ્રના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા હતા. પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એનસીપીની એક રેલીને સંબોધતા શરદ પવારે કહ્યું કે, "હું ખુશ છું કે એક આંતરરાષ્ટ્રીય નેતા ગુજરાતની મુલાકાતે છે. પરંતુ તે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોય, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હોય કે યુકેના વડાપ્રધાન (બોરિસ જોન્સન) હોય, બધાને ગુજરાત લાવવામાં આવ્યા અન્ય કોઈ રાજ્યને નહીં."

દિલ્હીના શાસકો અન્ય રાજ્યો વિશે શું વિચારે છે તે દર્શાવે છે
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે કહ્યું, "તે દર્શાવે છે કે દિલ્હીના શાસકો અન્ય રાજ્યો વિશે શું વિચારે છે." આ મહિનાની શરૂઆતમાં હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં થયેલી તાજેતરની હિંસા વિશે વાત કરતા NCP સુપ્રીમોએ કહ્યું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત સાહ રાષ્ટ્રીય રાજધાનીને સાંપ્રદાયિક રમખાણોથી બચાવવામાં નિષ્ફળ રહ્યા છે.

દિલ્હીને પણ નથી સંભાળી શકતા નથી
શરદ પવારે કહ્યું કે દિલ્હી પોલીસ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. આના પર પવારે કહ્યું, "જો દિલ્હીમાં કંઈક થાય છે તો વિશ્વમાં સંદેશ જાય છે. દુનિયા કલ્પના કરશે કે દિલ્હીમાં અશાંતિ છે." "અમિત શાહે દિલ્હીને એકીકૃત અને અવિભાજિત રાખવા માટે પગલાં લેવાં જોઈતા હતા, પરંતુ તેઓ આમ કરવામાં નિષ્ફળ ગયા. તમારી પાસે શક્તિ છે, પરંતુ તમે દિલ્હી જેવા શહેરને પણ સંભાળી શકતા નથી," તેમણે કહ્યું.

કેન્દ્ર સરકાર મૂર્ખોના સ્વર્ગમાં જીવી રહી છે
NCP નેતાઓ અનિલ દેશમુખ અને નવાબ મલિકની ધરપકડને લઈને શરદ પવારે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તમને જણાવી દઈએ કે બંને મની લોન્ડરિંગ તપાસનો સામનો કરી રહ્યા છે. શરદ પવારે કહ્યું, "પહેલાં તેમણે પૂર્વ (મહારાષ્ટ્ર) ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડની લાંચ લેવાનો આરોપ લગાવ્યો, પરંતુ બાદમાં તેમનું નિવેદન બદલીને 4 કરોડ કરી દીધું. તેવી જ રીતે (રાજ્યમંત્રી) નવાબ મલિક વિરુદ્ધ 20 વર્ષ જૂના કેસને પસંદગીપૂર્વક ખોલવામાં આવ્યો અને તેને ફસાવવામાં આવ્યા હતા. જો કેન્દ્ર સરકાર વિચારે છે કે ED અથવા CBIની મદદથી NCP અથવા અન્ય વિરોધ પક્ષોનું ગળું દબાવી શકાય છે, તો તેઓ મૂર્ખોના સ્વર્ગમાં જીવે છે.












Click it and Unblock the Notifications
