જીવતી સળગાવી દેવાયેલ ડૉ.પ્રિયંકા સાથે જે થયુ તે જાણીને હચમચી જશો
તેલંગાનાના હૈદરાબાદમાં 27 વર્ષની એક યુવતીને યૌન શોષણ બાદ જીવતી સળગાવવાની ઘટના સામે આવી છે.
તેલંગાનાના હૈદરાબાદમાં 27 વર્ષની એક યુવતીને યૌન શોષણ બાદ જીવતી સળગાવવાની ઘટના સામે આવી છે. આ ઘટના હૈદરાબાદના આઉટ સ્કર્ટ્સમાં ત્યારે બની જ્યારે ડૉ. પ્રિયંકા રેડ્ડીનુ સ્કૂટી પંક્ચર થઈ ગયુ હતુ. તેલુગુ મીડિયાના રિપોર્ટ્સ અનુસાર પ્રિયંકા ગચ્ચીબાઉલીમાં કામ માટે જતી હતી અને પોતાના સ્કૂટીને ટોંડુપલ્લી ટોલ પ્લાઝા પાસે પાર્ક કરીને આગળ કેબથી ગઈ હતી. પાછી આવવા પર તેણે પોતાની સ્કૂટીમાં પંક્ચર જોયુ. ત્યારબાદ પ્રિયંકાએ સ્કૂટીને ટોલ પ્લાઝા પર ઉભી રાખીને કેબથી પાછી જવાનો નિર્ણય કર્યો.

ફોન સ્વિચ ઑફ થઈ ગયો
ટોલ પ્લાઝા પર બે જણાએ પ્રિયંકાને પંક્ચર રિપેર કરાવી આપવાની ઑફર આપી અને તે સ્કૂટી લઈ ગયા. આના વિશે પ્રિયંકાએ પોતાની બહેન ભાવ્યાને ફોન કરીને જણાવ્યુ. પ્રિયંકાએ જે ફોન કર્યો હતો તેમાં તે જણાવી રહી હતી કે તેને એકલા રસ્તામાં ઉભા રહેવામાં ડર લાગે છે. અચાનકથી અમુક લોકો દેખાયા અને ટ્રક આવી ગઈ. ત્યારબાદ પ્રિયંકાએ પોતાની બહેનને થોડી વારમાં ફોન કરવાની વાત કહે છે પરંતુ ત્યારબાદ તેનો ફોન સ્વિચ ઑફ થઈ જાય છે.

100 મીટરના અંતરે પ્રિયંકાના ઈનરવેર પણ મળ્યા
પછી તેના પરિવારના લોકો ટોલ પ્લાઝા પાસે આવીને પ્રિયંકાને શોધે છે અને પછી સ્થાનિક શમશાબાદ પોલિસ સ્ટેશનમાં પ્રિયંકાના મિસિંગ થવાનો રિપોર્ટ લખાવે છે. ગુરુવારની સવારે શમશાબાદ પોલિસ સ્ટેશન પાસે શાદનગર પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક અંડર કન્સ્ટ્રક્શન પુલ નીચે એક અડધી બળેલી લાશ મળવાની સૂચના મળી. ત્યારબાદ પ્રિયંકાના ઘરવાળાને આવીને તેની ઓળખ કરી. સેન્ડલ અને સ્કાર્ફ ઉપરાંત 100 મીટરના અંતરે પ્રિયંકાના ઈનરવેર પણ મળ્યા હતા જેના આધારે ઘરવાળાએ ઓળખ સુનિશ્ચિત કરી.

રેપ થયાની પુષ્ટિ થઈ નથી
તેલુગુ મીડિયાના રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ કે ઘટનાની જગ્યાએ અમુક અંતરે ઈનરવેર મળવાથી પણ પ્રિયંકા સાથે રેપ થયો હોવાની સંભાવના છે. પોલિસનુ કહેવુ છે કે આ સમગ્ર કેસમાં શમશાબાદ પોલિસ અધિકારીએ જણાવ્યુ કે કેસની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ થઈ નથી. તપાસ ચાલુ છે. જલ્દી આ કેસમાં સફળતા મળશે. પોલિસના જણાવ્યા મુજબ હજુ સુધી પ્રિયંકા સાથે રેપ થયાની પુષ્ટિ થઈ નથી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
