આંધ્ર પ્રદેશની નગર નિગમની ચૂંટણીમાં વાયએસઆર કોંગ્રેસની જબરદસ્ત જીત, 90 ટકા સીટો પર વિજય
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની આગેવાનીવાળી યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસે નગર નિગમની ચૂંટણીમાં જબરદસ્ત જીત મેળવી છે.
હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની આગેવાનીવાળી યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસે નગર નિગમની ચૂંટણીમાં જબરદસ્ત જીત મેળવી છે. નગર નિગમની ચૂંટણીના પરિણામો રવિવારે જાહેર કરવામાં આવ્યા. વાયએસઆર કોંગ્રેસે જિલ્લા પરિષદ પ્રાદેશિક ચૂંટણી ક્ષેત્ર(ZPTC)માં લગભગ 90 ટકા સીટો પર જીત મેળવી છે. વળી, મંડલ પરિષદ પ્રાદેશિક ચૂંટણી ક્ષેત્ર(MPTC)માં વાયએસઆર કોંગ્રેસે લગભગ 99 ટકા સીટો પર જબરદસ્ત જીત મેળવી છે. મે, 2019માં સત્તામાં આવ્યા પછી વાયએસઆર કોંગ્રેસ સતત વિધાનસભા, લોકસભા, નગર નિગમ,જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જબરદસ્ત જીત મેળવી રહી છે.

જિલ્લા અને મંડલ નિગમની ચૂંટણી એપ્રિલ-મેમાં યોજાઈ હતી ત્યારબાદ મતોની ગણતરી રવિવારે થઈ. આ પહેલા આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે રાજ્ય ચૂંટણી પંચને નિર્દેશ આપ્યા હતા કે તે ચૂંટણીના પરિણામોની ઘોષણા કરે. ચૂંટણીના પરિણામોની ઘોષણા માટે વિપક્ષી દળોએ અરજી દાખલ કરી હતી ત્યારબાદ કોર્ટે આ નિર્દેશ આપ્યા હતા. જિલ્લા પરિષદની 660 સીટોમાંથી 500 સીટોના પરિણામો ઘોષિત કરવામાં આવી ચૂક્યા છે. જ્યારે 10047 મંડલ પરિષદની સીટોમાંથી 8500 સીટો પર વાયએસઆર કોંગ્રેસે જીત મેળવી છે. વળી, તેલુગુ દેશમ પાર્ટી, ભાજપ, કોંગ્રેસ અને જન સેનાએ અમુક સીટો પર જીત મેળવી છે.












Click it and Unblock the Notifications
