જામનગરમાં ભુકંપના ઝટકા અનુભવાયા, લોકો ઘર બહાર નીકળ્યા!
ગુજરાત રાજ્યમાં સતત ભુકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે ત્યારે જામનગરથી ભુકંપના સમાચાર છે. જામનગર જિલ્લામાં ભુકંપના ઝટકા અનુભવાયા છે. જો કે સમગ્ર ઘટનામાં સારી વાત એ છે કે જાનહાનિના કોઈ સમાચાર નથી.
ગુજરાત રાજ્યમાં સતત ભુકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે ત્યારે જામનગરથી ભુકંપના સમાચાર છે. જામનગર જિલ્લામાં ભુકંપના ઝટકા અનુભવાયા છે. જો કે સમગ્ર ઘટનામાં સારી વાત એ છે કે જાનહાનિના કોઈ સમાચાર નથી.
મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ભુકંપના આંચકા અનુભવાયા છે. જામનગરના ડેપ્યુટી કલેક્ટરના જણાવ્યા અનુસાર, જામનગર જિલ્લામાં દરેક તાલુકામાં ભૂકંપના આંચકાની અસર જણાઈ છે પરંતુ કોઈ જાનહાનિ, નુકશાની થયાના અહેવાલ નથી.
ભૂકંપના આંચકા અનુભવાતા જ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકો ઘરની બહાર આવી ગયા હતા અને લાંબા સમય સુધી ખુલ્લામાં ઉભા રહ્યા હતા. ભુકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 તીવ્રતા માપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં સતત ધરતીકંપના આંચકા અનુભવાતા રહ્યા છે. 2001 માં ગુજરાતના કચ્છમાં આવેલા ધરતીકંપમાં હજારો લોકો મોતને ભેટ્યા હતા, જે બાદ સતત આંચકા અનુભવાતા રહ્યા છે.