Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ganesh visarjan 2025 : જામનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન કરૂણ દુર્ઘટના, એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત

Ganesh visarjan 2025 : જામનગરમાં ગણેશ વિસર્જનનો પવિત્ર દિવસ એક પરિવાર માટે શોકમાં ફેરવાઈ ગયો. નાઘેડી નજીક આવેલા કબીરલહેર તળાવમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના ડૂબી જવાથી કરૂણ મોત થયા છે.

આ દુર્ઘટનામાં પિતા અને તેમના બે બાળકોએ જીવ ગુમાવ્યો છે. આ પરિવાર જામનગરના રામેશ્વર વિસ્તારમાં આવેલી જલારામ પાર્ક સોસાયટીનો રહેવાસી હતો.

Ganesh Visarjan

ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરતી વખતે અચાનક આ કરૂણ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્રણેય મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.

આ દુર્ઘટનાથી સમગ્ર જામનગર શહેરમાં શોકની લાગણી ફેલાઈ છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના અકાળે અવસાનથી પરિવારજનોમાં ભારે માતમ છવાઈ ગયો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X