જામનગર: ડેમમાં નહાવા પડેલા પાંચ લોકો ડૂબ્યા, ચારના મોત, એકની શોધ ચાલુ
જામનગર નજીક આવેલા સપડા ડેમમાં પાંચ લોકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એકની શોધખોળ જારી છે. મળતી માહિતી મુજબ પાંચ લોકો ડેમમાં નાવા પડ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે હાજર છે.

સુત્રોના જણાવ્યા અનુસાર જામનગર શહેરમાં આવેલા દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગજાનંદ પ્રોવિઝન સ્ટોર ચલાવતા મહેશભાઈ કારાભાઈ દામા પોતાના પરિવાર સાથે સપડા ડેમ ખાતે ફરવા ગયા હતા. ત્યારે આ પરિવાર ડેમમાં નહાવા પડ્યો હતો. જેમાં ડૂબી જતાં ચારના મોત થયા છે. જેમાં બે મહિલા અને બે પુરુષોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે. જ્યારે એક યુવકની શોધખોળ ચાલુ છે.
આ પરિવારનો યુવક જેની શોધખોળ ચાલુ છે. તે મહેસાણા ખાતે એન્જિનિયરનો અભ્યાસ કરે છે અને બે દિવસ પહેલાં જ પોતાના પરિવારને મળવા આવ્યો હતો. ત્યારે એ પણ ડૂબી ગયો છે.












Click it and Unblock the Notifications
