મોદી સરકારમાં યોગ્ય વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર આપવાની શરૂઆત - અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના યોગ્ય વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે. આ માટે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવાનું કામ કરવામાં આવ્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી પહેલીવાર દેશના વડાપ્રધાન બન્યા, ત્યારે તેમણે ભીખુદાન ગઢવીના યોગદાનને ધ્યાનમાં રાખીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતના જૂનાગઢમાં શનિવારના રોજ દિવ્યકાંત નાણાવટીની જન્મશતાબ્દી નિમિત્તે આયોજિત સ્મૃતિ પર્વ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ભીખુદાન ગઢવીએ ગુજરાત અને સૌરાષ્ટ્રની કલાને જૂની પેઢીમાંથી નવી પેઢી સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. અમિત શાહે ભીખુદાન ગઢવીને કાગ બાપુની પેઢી અને આજની પેઢીના સાહિત્યકારો વચ્ચેનો સેતુ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દિવ્યકાંત નાણાવટી એવા લોકોમાંથી એક છે, જે સમાજ માટે જીવે છે અને બીજા માટે કંઈક કરે છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, રૂપાયતન સંસ્થાએ આજેએક પુસ્તક પ્રકાશિત કર્યું છે, જે ચોક્કસપણે નવી પેઢીના આગેવાનો માટે માર્ગદર્શક સાબિત થશે. રૂપાયતન સંસ્થા લગભગ 75 વર્ષથી સામાજિક જીવનના વિવિધ આયામો પર ખૂબ જ સારું કામ કરી રહી છે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ 100 વર્ષ પછી પણ કોઈ વ્યક્તિને યાદ કરે છે, તો તેનો અર્થ એ છે કે, તે વ્યક્તિનું જીવન સાર્થક થઈ ગયું છે. દિવ્યાકાંત સતત બે ટર્મ માટે ધારાસભ્ય બન્યા અને ગુજરાતના કાયદા અને ન્યાય મંત્રી પણ રહ્યા. તેમણે માત્ર જૂનાગઢના જ નહીં, પરંતુ ગુજરાતના જાહેર જીવનમાં પણ ઘણું યોગદાન આપ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ભક્તિ સાહિત્યના શ્રેષ્ઠ વ્યક્તિત્વ નરસિંહ મહેતાએ તેમનું સમગ્ર જીવન સાહિત્યને સમર્પિત કર્યું અને તેમના જેવો ઉત્તમ સાહિત્યકાર મળવો અસંભવ છે. નરસિંહ મહેતાએ વેદ અને ઉપનિષદના તમામ રહસ્યો લોકોને સંક્ષિપ્તમાં અને સરળ ભાષામાં રજૂ કર્યા. તે સમયે અસ્પૃશ્યતાનો વિરોધ કરવાની હિંમત માત્ર નરસિંહ મહેતા જ કરી શકતા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, જો તમારે સામાજિક ન્યાય વિશે જાણવું હોય તો તમારે એકવાર નરસિંહ મહેતાને સમજવા પડશે. તેમણે કહ્યું કે નરસિંહ મહેતાની આ પવિત્ર ભૂમિ પર રૂપાયતન સંસ્થાએ આ ભૂમિના પનોતા પુત્ર દિવ્યકાંતની સ્મૃતિમાં પુસ્તક પ્રકાશિત કર્યું છે, જે ચોક્કસપણે જૂનાગઢ અને ગુજરાતના જાહેર જીવનમાં કાર્યરત લોકો માટે પ્રેરણારૂપ બનશે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
