Junagadh: પાકિસ્તાને મુક્ત કર્યા 80 માછીમારો, દિવાળીની ખુશી થઇ બમણી, સર્જાયા ભાવુક દ્રશ્યો

Junagadh: પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 80 ભારતીય માછીમારો વેરાવળ પહોંચ્યા છે. આ માછીમારો લાંબા સમયથી પાકિસ્તાનની જેલમાં કેદ હતા. દિવાળીના અવસરે સ્વજનો વતને પહોંચતા પરિવારમાં ખુશી છવાઈ ગઇ છે.

લાંબા સમય બાદ વતન પરત ફરતા માછીમારોના પરિવારના સભ્યોએ તેમને ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આ સમયે અનેક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

fishermen

ઉલ્લેખનીય છે કે, આ માછીમારોને 2020માં પાકિસ્તાન મરીન ફોર્સ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. હાલમાં 200 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. આ માછીમારોમાં મોટાભાગના ગુજરાત અને દીવના છે.

નોંધનીય બાબત છે કે, ગુજરાત સરકારના ફિશરીઝ વિભાગ દ્વારા આ 80 માછીમારોને 10 નવેમ્બરની રાત્રે પંજાબના વાઘા બોર્ડર પરથી ભારતમાં સ્વીકારવામાં આવ્યા હતા.

મુક્ત કરવામાં આવેલા માછીમારોમાં 59 ગીર સોમનાથના, 15 દ્વારકાના, 2 જામનગરના અને 1 અમરેલીના અને 3 દીવના છે. આ 80 માછીમારો રવિવારની સવારે ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યા હતા. જ્યાંથી તેઓને બે એસી બસ મારફતે વેરાવળ લઇ જવાયા હતા.

ઉલ્લેખનીય છે કે, 1 જૂનના રોજ પાકિસ્તાનની જેલ કેદમાંથી 200 ભારતીય માછીમારો મુક્ત કરવામાં આવ્યા હતા. જેઓ 2 જૂનના રોજ વાઘા બોર્ડરથી વતન પરત ફર્યા હતા. આ પહેલા પણ 198 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X