જૂનાગઢના 35 ગામના સરપંચે આપ્યું સામૂહિક રાજીનામું, કારણ જાણી તમે પણ તંત્ર પર કરશો થૂથૂ..
જુનાગઢ તાલુકાના 35 ગામોના સરપંચોએ એક સાથે રાજીનામા આપી દીધા છે. રાજીનામા આપવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. સરપંચોના રાજીનામા પાછળ મુખ્ય કારણ વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ છે. ગ્રામ પંચાયતના વહીવટી કામોમાં GST સહિતના અનેક મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
સરપંચોએ આરોપ લગાવ્યા છે કે વહીવટી પ્રક્રિયા સરળ રાખવાના બદલે મુશ્કેલ બનાવી દેવાના કારણે ઘણા કામો ખોરવાઈ ગયા છે અને વિકાસના કામો અટકી પડ્યા છે. સરપંચોએ વધુમાં જણાવ્યુ કે ગૌચરની જમીન ખાલી કરાવવા દબાણ કરવામાં આવે છે પરંતુ હદ-નિશાન ન હોવાથી મુશ્કેલી સર્જાઈ રહી છે.

આ તમામ કારણો અને સમસ્યાઓના નિવારણ માટે સરપંચોએ એક બેઠક બોલાવી હતી અને તાલુકા વિકાસ અધિકારીને બોલાવવામાં આવ્યાં હતા. જો કે ટીડીઓ આ મિટિંગમાં ન આવતા ખેડૂતોનો રોષે ભરાયા હતા, જે બાદ સરપંચો દ્વારા સામૂહિક રાજીનામા આપવામાં આવ્યા હતા. 35 જેટલા સરપંચોએ જુનાગઢ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને રાજીનામા મોકલી આપ્યા છે. હવે એ જોવાનુ રહેશે કે સરપંચોના રાજીનામા અંગે શું નિર્ણય લેવામાં આવશે.
-
Mojtaba Khamenei : કોણ છે ઈરાનના નવા નેતા મોજતબા ખામેનેઈ? -
Petrol Diesel Price: 5 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
AMCનો મોટો નિર્ણય, નરોડા-નારોલ હાઈવેને 250 કરોડના ખર્ચે બનશે હાઈટેક બનાવાશે -
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા












Click it and Unblock the Notifications
