જૂનાગઢના 35 ગામના સરપંચે આપ્યું સામૂહિક રાજીનામું, કારણ જાણી તમે પણ તંત્ર પર કરશો થૂથૂ..
જુનાગઢ તાલુકાના 35 ગામોના સરપંચોએ એક સાથે રાજીનામા આપી દીધા છે. રાજીનામા આપવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. સરપંચોના રાજીનામા પાછળ મુખ્ય કારણ વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ છે. ગ્રામ પંચાયતના વહીવટી કામોમાં GST સહિતના અનેક મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
સરપંચોએ આરોપ લગાવ્યા છે કે વહીવટી પ્રક્રિયા સરળ રાખવાના બદલે મુશ્કેલ બનાવી દેવાના કારણે ઘણા કામો ખોરવાઈ ગયા છે અને વિકાસના કામો અટકી પડ્યા છે. સરપંચોએ વધુમાં જણાવ્યુ કે ગૌચરની જમીન ખાલી કરાવવા દબાણ કરવામાં આવે છે પરંતુ હદ-નિશાન ન હોવાથી મુશ્કેલી સર્જાઈ રહી છે.

આ તમામ કારણો અને સમસ્યાઓના નિવારણ માટે સરપંચોએ એક બેઠક બોલાવી હતી અને તાલુકા વિકાસ અધિકારીને બોલાવવામાં આવ્યાં હતા. જો કે ટીડીઓ આ મિટિંગમાં ન આવતા ખેડૂતોનો રોષે ભરાયા હતા, જે બાદ સરપંચો દ્વારા સામૂહિક રાજીનામા આપવામાં આવ્યા હતા. 35 જેટલા સરપંચોએ જુનાગઢ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને રાજીનામા મોકલી આપ્યા છે. હવે એ જોવાનુ રહેશે કે સરપંચોના રાજીનામા અંગે શું નિર્ણય લેવામાં આવશે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો




Click it and Unblock the Notifications
