હું નિર્દોષ છું, PMની સહમતિથી થઇ હતી 2G ફાળવણી : રાજા

એ રાજાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ફાળવણી મુદ્દે તે પહેલાં જ પોતાનું નિવેદન આપી ચૂક્યા છે અને તે પોતાના નિવેદન પર અડગ છે. એ રાજાએ કહ્યું હતું કે ફાળવણી કેસમાં તે નિર્દોષ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જેપીસીના ડ્રાફ્ટ રિપોર્ટમાં મનમોહન સિંહ અને પી ચિંદમ્બરમને ક્લિનચીટ આપવામાં આવી છે. જેપીસીએ કહ્યું છે કે પહેલાં આવો, પહેલા મેળવોની નિતીને ટ્ર્રાઇ સમર્થન પ્રાપ્ત થયું છે.
સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)એ 2જી સ્પેક્ટ્રમ ફાળવણી ગોટાળામાં વડાપ્રધાન મનમોહન સિંહને ક્લિનચીટ આપતાં કહ્યું હતું કે તેમને પૂર્વ ટેલિકોમ મંત્રી એ રાજાએ ગેરમાર્ગે દોર્યા હતા. સાથે જ જેપીસીએ કહ્યું હતું કે એ રાજાએ જે આશ્વાસન આપ્યા હતા, તે જુઠ્ઠા સાબિત થયા છે. જેપીસીના રિપોર્ટના ડ્રાફ્ટ નિયંત્રક તથા કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (કેગ)ના 1.76 લાખ કરોડ રૂપિયાના નુકસાનના નિષ્કર્ષને નકારી કાઢ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નુકસાનનો આ આંકડો સાચા અનુમાન પર આધારિત છે.
આ રિપોર્ટ ગુરૂવારે સભ્યો વચ્ચે વહેંવામાં આવ્યો હતો. 25 એપ્રિલના રોજ રિપોર્ટને સ્વિકારવામાં આવ્યો હતો. તેમાં એ પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે તત્કાલિન સાલિસિટર જનરલ જી ઇ વાહનવતિ દ્રારા 7 જાન્યુઆરી 2008ના પ્રેસ નોટને જોયા બાદ એ રાજાએ તેની સાથે છેડછાડ કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમિતિ એ બતાવવા માંગે છે કે પહેલાં આવો પહેલા મેળવો (એફસીએફએસ)થી સંબંધિત પ્રક્રિયા તથ્યોનું ખોટું પ્રસ્તૃતિકરણ કર્યું અને આ તે સમયે હાજર પ્રક્રિયાઓથી અલગ છે.
બીજી તરફ 2જી કેસ પર જેપીસીના ડ્રાફ્ટ રિપોર્ટને નકારી કાઢતાં ભાજપ અને ભાકપાએ આજે કહ્યું હતું કે કોંગ્રેસ રિપોર્ટ બનીને રહી ગઇ છે અને તે અલગથી પોતાનો અસંતોષ પત્ર આપશે. બંને પાર્ટીઓ પર આરોપ લગાવ્યો હતો કે આ કેસ પર પડદો નાખવાની કવાયદ છે. ભાકપા નેતા ગુરૂદાસ દાસગુપ્તાએ કહ્યું હતું કે અમે તેને નકારી કાઢીશું. અમે અમારો વિચાર રજૂ કરીશું. આ કેસ પર પડદો નાખવાનો પ્રયત્ન છે. આ કોંગ્રેસ પાર્ટીના ઇશારે ઘડેલી કહાણી છે. જેપીસીના સદસ્ય દાસગુપ્તાએ કહ્યું હતું કે આ સામે આવે તથ્યોનું વિરોધભાસી છે.
ભાજપ પ્રવક્તા મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે અમે જેપીસીનો ભાગ હતા, અમે અમારો વિચાર રાખીશું જેથી આ ભવિષ્ય માટે ઓન રેકોર્ડ આવી જાય. આ પહેલાં ઇતિહાસ કાયમ થશે કારણ કે રિપોર્ટ ભાવી પેઢી માટે હોય છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
