દિલ્હીના 33 દૂતાવાસો પર આતંકવાદીઓની નજર, ચિઠ્ઠી દ્વારા મળી ધમકી
New Delhi
oi-KumarDushyant
By Kumar Dushyant
નવી દિલ્હી, 23 જૂન: નવી સરકાર માટે દિવસેને દિવસે ખતરાની ઘંટડીઓ વાગતી રહે છે અને ભાજપ માટે નવા નવા પડકારો ઉભા થઇ રહ્યાં છે. દિલ્હીમાં 33 દૂતાવાસોને ધમકીભરી ચિઠ્ઠી મળી છે. સૂત્રોના હવાલેથી મળવા સમાચાર મુજબ ચિઠ્ઠીમાં દૂતાવાસોને બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. તો બીજી તરફ ગુપ્તચર વિભાગે આ ચિઠ્ઠીઓની તપાસ કરી રહી છે.
આ ધમકીભરી ચિઠ્ઠી સાઉથ અને નવી દિલ્હી વિસ્તારમાં સ્થિત દૂતાવાસોને મળી છે. પત્ર મળ્યા બાદ દૂતાવાસોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો કે તેના પર કેન્દ્રિય નેતૃત્વની તરફથી કોઇપણ આધિકારિક નિવેદન આપવામાં આવ્યું નથી. આઇબી સક્રિયતાપૂર્વક ચિઠ્ઠીની તપાસ અક્રી રહી છે.