કેજરીવાલની સાથે ડિનર કરવું છે તો ચૂકવવા પડશે 20 હજાર રૂપિયા
નવી દિલ્હી, 8 માર્ચ: આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ફંડ એકઠું કરવાનો નવો ફોર્મ્યુલા અપનાવી લીધો છે. આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલની સાથે ડિનર કરવાના માધ્યમથી ફંડ એકઠું કરવાની યોજના બનાવી છે. તેના માટે પાર્ટીએ અરવિંદ કેજરીવાલ સાથે ડિનર કરાવવાની યોજના બનાવી છે.
આ યોજના હેઠળ જો તમે અરવિંદ કેજરીવાલ સાથે ડિનર કરવા માંગો છો તો તમારે તેના માટે 20,000 રૂપિયા ચૂકવવા પડશે. અરવિંદ કેજરીવાલની સાથે આ ડિનર થોડું મોંઘું પડશે. અરવિંદ કેજરીવાલની સાથે ડિનર કરવા માટે 20 હજાર રૂપિયા ચૂકવવા પડશે.
બેંગલુરૂમાં 15 માર્ચના રોજ યોજાનારી ફંડરેજર ડિનરમાં આ નવો તુક્કો અપનાવવામાં આવશે. અરવિંદ કેજરીવાલ સાથે ડિનરમાં સામેલ થવા માટે દરેકને 20 હજાર રૂપિયા ચૂકવવા પડશે. જો કે પાર્ટીને આશા છે કે આનાથી તેમને મોટી રકમ મળશે.
સૂત્રોનું માનીએ તો આ ડિનર પાર્ટીમાં લગભગ 200 લોકોને આમંત્રિત કરવામાં આવશે. ડિનર પાર્ટીમાં ટેક્નોલોજી, પ્રાઇવેટ ઇક્વિટી અને વેંટર કેપિટલ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ નિમંત્રણ 'આપ' સભ્ય અને ઇન્ફોસિસના બોર્ડના સભ્ય રહી ચૂકેલા બાલાકૃષ્ણનને મોકલ્યા છે. અરવિંદ કેજરીવાલની આ ડિનર પાર્ટી બેંગ્લોરની એક મોટી હોટલમાં આયોજિત કરવામાં આવી શકે છે. અહી અરવિંદ કેજરીવાલ એક કલાક સુધી મહેમાનો સાથે વાતચીત કરશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો પાર્ટીનો આ ફોર્મ્યૂલા કામ કરી જશે જો આગળ પણ ચાલુ રાખવામાં આવશે.
Did You Know: આમ આદમી પાર્ટીને વિદેશથી લાખો રૂપિયાનું દાન મળી રહ્યું છે, પરંતુ વિદેશની એક મહિલા તેમણે દરરોજ 2014 રૂપિયા મોકલે છે.