ઇકોનોમિક્સ ટાઇમ્સ સર્વે: ભારે મતોથી શીલાનું પત્તુ સાફ કરશે કેજરીવાલ
નવી દિલ્હી, 27 નવેમ્બર: ભલે દિલ્હી વિધાનસભા ચૂંટણીના થોડા દિવસો પહેલાં અણ્ણા હઝારે અને અરવિંદ કેજરીવાલનો ઝઘડો લોકો સમક્ષ પ્રગટ થયો હોય વધુ એક સમાચાર ચેનલના સ્ટિંગ ઓપરેશનના કારણે 'આપ' પાર્ટીના નેતાઓ પર ફંડ એકઠું કરવાના આરોપ લાગ્યા પરંતુ ચૂંટણી વિશ્લેષણ તો કંઇક અલગ જ કહાણી વ્યક્ત કરે છે. ઇકોનોમિક્સ ટાઇમ્સના સર્વે અનુસાર તો આ વખતે દિલ્હી વિધાનસ્ભા ચૂંટણીમાં 'આપ' પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ વિધાનસભા ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
ઇકોનોમિક્સ ટાઇમ્સના સર્વેનું માનીએ તો આ વખતે ચૂંટણીમાં પ્રતિષ્ઠિત નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી અરવિંદ કેજરીવાલ, મુખ્યમંત્રી શીલા દીક્ષિતને ભૂંડી રીતે માત આપશે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ મોટા અંતરથી શીલા દીક્ષિતને હરાવશે.

અરવિંદ કેજરીવાલ યુવાનોમાં સૌથી લોકપ્રિય ચહેરો છે એટલા માટે તેમને ચાલીસ ટકા વધુ વોટ મળશે જેના કારણે તે ભારે અંતરથી શીલા દીક્ષિતને હરાવી શકશે. એટલું જ નહી આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે શીલા દીક્ષિત પોતાના વિધાનસભા ક્ષેત્રમાં ત્રીજા નંબર રહેશે. બીજી નંબરે ભાજપના ઉમેદવાર વિજેન્દ્ર ગુપ્તા રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇકોનોમિક્સ ટાઇમ્સનો આ સર્વે નવી દિલ્હી વિધાનસભા સીટના 1201 રજિસ્ટર્ડ વોટરોની સલાહ પર આધારિત છે, સર્વે 22 થી 24 નવેમ્બર વચ્ચે કરાવવામાં આવ્યો છે, જેમાં બધા 188 મતદાનો કેન્દ્રોના મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જો સર્વેવાળી વાત સાચી સાબિત થાય છે તો શીલા દીક્ષિતની હાર લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે ઘાતક સાબિત થશે કારણ કે દિલ્હીમાં હંમેશાથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે એવામાં દિલ્હીની સત્તાથી કોંગ્રેસ બેદખલ થવું તેના માટે લોકસભા ચૂંટણીમાં જીવતું મુશ્કેલ થઇ શકે છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
