'મોદી વિરૂદ્ધ ખોટા આરોપોના કાવતરાનો પર્દાફાશ'
નવી દિલ્હી, 8 જાન્યુઆરી: ભાજપે મંગળવારે કહ્યું હતું કે ગુજરાતમાં કથિત રીતે રમખાણો ભડકાવવા માટે સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાડવા, 2002ના રમખાણોને લઇને 'ક્રિયા-પ્રતિક્રિયા'ના કથિત નિવેદનો આપવા અને હિન્દુઓને ઉશ્કેરવાના કથિત આદેશ આપવા જેવા આરોપો નરેન્દ્ર મોદી પર લગાવવામાં આવેલા બધા 'ખોટા' આરોપોનો પર્દાફાશ થઇ ચૂક્યો છે અને કોર્ટે તેમને નિર્દોષ ગણાવ્યા છે.
પાર્ટીના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ પોતાના ફેસબુકની નવી પોસ્ટમાં કહ્યું હતું કે ગોધરાના રમખાણો બાદ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ સતત ચલાવવામાં આવેલા 'કાવતરા'નો પર્દાફાશ થઇ ગયો છે કારણ કે તે જુઠ પર આધારિત હતા.' તેમને ન્યાયમૂર્તિ યૂ સી બેનર્જી આયોગના તે રિપોર્ટને બકવાસ ગણાવી નકારી કાઢવામાં આવ્યો છે કે સાબરમતી એક્સપ્રેસના ડબ્બા એસ-6માં ભીડે આગ લગાવી ન હતી અને તે આગ અન્ય કારણથી જ અંદરથી શરૂ થઇ હોય એમ લાગી રહ્યું છે.
રાજ્યસભામાં વિપક્ષના નેતાએ કહ્યું હતું કે પહેલાં દિવસથી સ્પષ્ટ હતું કે એક સમુદાયની એક ભીડે ગોધરા ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના ડબ્બા નંબર એસ-6માં આગ લગાવી હતી. તેમને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી વિશેષ તપાસ ટીમે પણ ઘટનાની તપાસ કરી હતી જેમાં તેમને જાણવા મળ્યું હતું કે ડબ્બામાં આગ લાગી તેના એક દિવસ પહેલાં જ વાહનોમાં ભરીને ઇંધણ સ્ટેશન પર લાવવામાં આવ્યા હતા. ભાજપના નેતાએ આ મિથ્યા પ્રચાર એ સાબિત કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં રમખાણો ભડકાવવા માટે હિન્દુ સમુદાયે રેલગાડીના ડબ્બામાં આગ લગાવી હતી.